SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારે વિનય કરવા રૂપ ૧૦૪ ૫ = ૫૦ લે પણ જણાવેલા છે. તે માટે શાળાવરણાદિ કર્મોના ય માટે વિનય કરવું જરૂરી છે. (૧) અરિહંત (૨) સિહ ( ચેત્ય () Aત (૫) ધર્મ (૬) આચાર્ય (૭) ઉપાધ્યાય (૮) સાધુ (૯) સંઘ (૧૦) સમનેણ (સમ્યફી (વગુરૂ-ધર્મની સમાનતાવાળે.) આ હશેને નીચે મુજબ પાંચ ભેદોથી વિનય કરવો તે. (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણેની પ્રશંસા (૪) અવગુણ ઢાંકવા અને (૫) કાનાક્ષાત (ાક્ષાતના વર્જવી.) आचार्योपाध्याय तपस्वि शैक्षक ग्लान-गण-कुल-संघ-साधु समनोज्ञानाम् ॥ २४ ॥ (૩) વૈયાવચ્ચ (અત્યંતર) ત૫ : આ તપ આદ્ય સ્વરૂપ હોવા છતાં તે પૂર્વે જણાવેલ પ્રાયશ્ચિત્ત તેમજ વિનય ત૫ પછી અંતરંગ વિશુદ્ધિએ સમ્યફ પ્રકારે પ્રવર્તે છે. તે માટે તેને અત્યંતર તપ કહે છે. આ તપમાં (1) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) વિશેષ તપ કરનાર તપવી (૪) શાક એટલે નવદીક્ષિત સાધુ (૫) ગ્લાન (રેગી) (૬) ગણ (૭) કુળ (૮) સંઘ (૯) સ્થવિરસાધુ જે શકિત આત્માઓને ધર્મમાં સ્થિર કરવાવાળા હોય તે (૧૦) સમનેશ એટલે સાધમિક આ દશે જણાનું યથાતથ્ય ભાવે વિનય-ભજિત-બહુમાન પૂર્વક વૈયાવચ્ચ કરવું એટલે એમને જરૂરી અન–પાન-વસતિ-વ-પાત્ર તેમજ ઔષધ ભેજનાદિ વસ્તુઓનું આપવું તે આ તપ કરનાર આત્મા આગળના વાધ્યાય તપને સમ્યફ લાભ પ્રાપ્ત કરી શકે છે. वाचना पृच्छनाऽनुप्रेक्षा ऽऽम्नाय धर्मोपदेशाः ॥ २५ ॥ (૪) સ્વાધ્યાય (અર્થાતર ત૫) : આ તપ વડે જીવ પિતાના આત્માની સમ્યગૂ પ્રકારે અંતરંગ શુદ્ધિ કરી શકે છે અટલે કે આત્મહિત ભણી હેય-ઉપાદેય ભાનું યથાર્થ જાણપણું કરી શકે છે. એટલું જ નહિ પરંતુ ભેદ ચિંતવણાએ કરીને શુદ્ધાત્મ ભાવમાં રમણતા કરી શકે છે, તે માટે તેને અત્યંતર તપ કહેલ છે. આ તપ અનુક્રમે (૧) વાચના (૨) પૃરછના (2) અનુપ્રેક્ષા (૪) આખાય અને (૫) ધર્મકથા. આ પાંચ પ્રકારને સવાધ્યાય તષ શાસ્ત્રમાં જણાવેલ છે. જેનું વિશેષ સવરૂપ નીચે મુજબ સમજવું જરૂરી છે. (૧) વાચન : ગુર્વાધિક પાસેથી જ્ઞાનાચારના આઠ અતિચારાદિ ને ટાળીને (વિધિપૂર્વક) સમ્યફ કવ્ય અતિજ્ઞાન લેવું તેને વાચના જાણવી. (૨) પૃચ્છના : ગુર્વાદિક પાસેથી સમ્યક પ્રકારે સ્વ-અર્થનું ગ્રહણ કર્યા પછી તેમાં કેક અર્થ વિશેષ સંબધી શંકા પડે તે તેને યથાતથ્ય વિનય સહિત પૂછીને શંકારહિત Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy