SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલો જોવાય છે. પરંતુ બંગડીમાં સુવર્ણ દ્રવ્ય તે ધ્રુવ સ્વરૂપે કાયમ છે. તેથી જ જ્યારે તે બગડી રૂપ પર્યાયને ગાળીને કઈક હાર વિગે૨ પર્યાય (ઘાટ) બનાવવામાં આવે છે તે વખતે બંગડી પર્યાયને નાશ થાય છે. અને તે સુવર્ણ દ્રવ્યમાં હાર પર્યાયને ઉત્પાદ થયે દેખાય છે. તે વખતે પણ સુવર્ણ દ્રવ્ય તે, તે હાર પર્યાયમાં પણ કાયમ રહેલું સ્પષ્ટ જણાય છે. આ રીતે દ્રવ્યને અનેક વિધ-અનેક પર્યાય પણું પ્રાપ્ત થતું હોય છે. જે ઉત્પાદ-વ્યય સ્વરૂપે પ્રાપ્ત થતું જોવાય છે. પરંતુ પ્રત્યેક પર્યાયમાં દ્રવ્યત્વ તે ધ્રુવ પરિણામી હોવાથી તથા સ્વરૂપે કાયમ હેય છે. આ રીતે પ્રત્યેક દ્રવ્ય પદાર્થને અપેક્ષા વિશેષે દ્રવ્ય-પર્યાય પણું હોવાથી તેમાં વિવિધતા જવી જરૂરી છે. આ સંસારમાં જે આત્માઓએ આત્મવિશુદ્ધિના (ચૌ) ૧૪ પગથિયામાંથી દશમાં પગથિયે, દશમે ગુણસ્થાનકે પિતાના આત્મા સાથે જોડાયેલા આમગુણઘાતી મેહનીય કર્મને સૌ પ્રથમ સર્વથા ક્ષય કરીને બારમે ગુણસ્થાનકે જઈ આત્મગુણાતી બાકીને ત્રણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કમ એ ત્રણે કર્મોને પણ અવશ્ય ક્ષય કરીને તેરમે ગુણસ્થાનકે જઈ શ્રી વીતરાગ સર્વજ્ઞ અને સર્વદશીપણું પ્રાપ્ત કરેલ છે. તેવા કેવળી ભગવંતે ઉપર જણાવેલ સકળ દ્રવ્યના ત્રિવિધ ભાવોને પ્રત્યેક સમયે કેવળજ્ઞાન અને કેવળદર્શન કરી જાણતા-જેતા હોય છે. આથી તેઓએ સંસારી આમનેઆત્મશુદ્ધિનો જે ઉપાય (મોક્ષમાર્ગ બતાવે છે તેમાં આમાથી આત્માએ એ અનન્ય ભાવે સૌ પ્રથમ શ્રદ્ધારૂપ ક્ષયે પશમ (સમ્યક્ત્વ) પ્રગટાવીને એક્ષપદ સાધ્યું છે, સાધે છે અને સાધશે એમ નિચ્ચેથી સમજવું. શ્રી જિનેશ્વર કેવળી ભગવતેએ “જોવા વિકાસ ના પુત્ર વા’ એટલે સકળ દ્રવ્યોને કથંચિત્ ઉત્પન્ન થવાપણું છે કથંચિત્ વ્યય થવા પણ છે. તેમજ કથંચિત્ ધ્રુવભાવમાં પરિણામ પામવા પણું પણ છે. આ ત્રિપદીથી સમસ્ત જગતના સમસ્ત ભવેનું વરૂપ સંક્ષેપથી જણાવેલ છે. તેને સમ્યગ જ્ઞાની ગણધર ભગવંતે એ દ્વાદશાંગી રૂપે વિસ્તાર કરીને મોક્ષમાર્ગ વહેતે રાખેલ છે. પરંતુ જેઓને આ કેવળી ભગવંતના કેવળજ્ઞાનના વિષયમાં શ્રદ્ધા નથી. તેઓ શ્રી ગણધર ભગવતેએ ત્રિપદીને જે વિસ્તાર કરેલ છે. તેને સુગુરૂ પ્રતિના વિનય ભક્તિ વિના તેઓ કદાપિ કર્થચિને સમ્યફ બાધ પામી શકતા નથી. એટલે ધુવઈ વા પદનો કથંચિત્ વ એ અર્થને નહિ સમજતાં તેને એકાંત નિત્યત્વ રૂપે સમજીને સમજાવવા કેશીષ કરી અનેક પ્રકારના મિથ્યા પ્રવાહ પ્રસારતા હેય છે. તદ્માવા થયે નિત્યમ્ | ૨૦ | ઉપર જણાવેલ પ્રત્યેક દ્રવ્યને ઉત્પાદ-વ્યય અને યુવત્વ પરિણામ અપેક્ષા ભેદ નિત્યાનિત્ય છે. એટલે તે તે વરૂપને કથ ચિત્ વિકાલિકપણું પણ છે. (દ્રવ્યાર્થિક નથી) Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy