SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમનો સમય જગતના બે પ્રકાર-જવ અને અજીવ માને છે અને તે દરેકમાં ઉત્પાદ-ઉત્પત્તિ, થય–નાશ અને ધૃવત્વ-નિત્યત્વ ગુણ સ્વીકારે છે. અહીં ઉત્પત્તિને અર્થ નવું સર્જન નથી, કારણ કે જેનદૃષ્ટિએ આખું વિશ્વ શાશ્વત જ છે. ઉત્પાદનો અર્થ એ છે કે શાશ્વત જગતમાં નિરંતર પદાર્થોનાં રૂપાંતર થયા કરે છે. દરેક વસ્તુ–પદાર્થને સહજ-સ્વાભાવિક ગુણોની અપેક્ષાએ તે સત્-પ્રવ-નિત્ય છે તે જ પદાર્થ બીજા પદાર્થના ગુણધર્મની અપેક્ષાએ સત્ ન હોવાથી અસતું એ સ્વતઃ સિદ્ધ છે. “અનુભવથી એમ પણ જણાય છે કે શાશ્વત તત્ત્વ દરેક ક્ષણે કેટલાક ગુણોને તજી નવા ગુણ ગ્રહણ કરે છે. ટૂંકમાં આ સિદ્ધાંત અનેકાંતવાદ” કહેવાય છે, અથવા “બુદ્ધોના અનેક વર્ણાકાર, ઉપનિષદના અનેકાંત દૈતવાદની સામે જ જૈનેને અનેકાંતવાદ છે.”પ આ ઉપર જ જેનો સ્યાદ્વાદનો સિદ્ધાંત ઘડાયેલ છે. “આ વિધાપરથી એ સ્પષ્ટ છે કે આપેલ પદાર્થને જુદા જુદા દૃષ્ટિબિંદુથી જેવાથી નાના પ્રકારના વિરુદ્ધ દેખાતા ધર્મો જાણી શકાય છે.” દરેક વરતુમાં અનંત ધર્મો–ગુણો રહેલા છે જે બધાય એકજ વખતે વ્યક્ત થઈ શકતા નથી, પરંતુ જુદીજુદી અપેક્ષાએ એ બધા ધર્મો સિદ્ધ થઈ શકે છે. દરેક વસ્તુને ચાર જુદી જુદી દૃષ્ટિએ વિચાર થઈ શકે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આમ “સ્યાદ્વાદને સિદ્ધાંત એ પ્રતિપાદન કરે છે કે દરેક વસ્તુ જુદા જુદા અનંત ધર્મોવાળી હોવાથી ગમે તે દૃષ્ટિબિંદુથી નક્કી કરેલ વિધાન એકાંત સત્ય માની શકાય નહિ.” આ રીતે હરેક પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ વિરુદ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કરે તે જ સ્યાદ્વાદ છે; “વસ્તુને સંગાત્મક રીતે જાણવાની આ પદ્ધતિ છે.” સ્યાદ્વાદના સિદ્ધાંતને ઘણી વખત સંશયવાદ તરીકે ગણવામાં આવે છે પરંતુ 1, વડુતનવં ત્વાચબ્રખ્યામલા • •.-Hemacandra, Syatvādanajali, p. 168. Cf. bid, vv. 21-22. येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्सत्तदिष्यते। अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः॥ - Haribhadra, op. cit., v. 57. 2. C. Warren, op. cit., pp. 22-23. 3. Dasgupta, op. cil , i, p. 175. 4. તવં . • , વીવા વસ્ત્રક્ષામ, બનનધર્મામવમેવ • •.-Hemacandra, op, cit., p. 170. 5. Dasgupta, ob. cal, i, p. 175; નૈવાનિ માનાનિ . . . અનેવામાન ગુનિ.-Viseshavasyakablashyami, v. 2186, p. 895. 6. Belvalkar, op. cit., p. 112. 7 Dasgupta, op. cit., p. 179. 8. Warren, op. cit., p. 20. 9. C. Hultzsch, E.I., vii., p. 113. " In contrast to the Nihilistic Buddhist, the Jaina assumes a doubtful attitude, so that he is termed the “may-be philosopher,’ Syādālin, in opposition to the Buddhist, the philosopher of the void' "-Hopkins, op. cid., p. 291. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy