SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જણાતું નથી અને વિષયપરથી મળતી માહિતી પણ તેને ટેકો આપતી નથી. છેવટે શાન્ટિયર જણાવે છે કે “હું માનું છું ત્યાંસુધી દેવર્ધિને કર્તા તરીકે સ્થાપિત કરવાને મજબૂત કારણે મળી શકતાં નથી. પણ આપણે તેમને સિદ્ધાંત ગ્રંથના કર્તાને બદલે વાચના કર્તા તરીકે ગણી શકીએ.” વેતાંબર જૈનેના સિદ્ધાંત ગ્રંથ માટે આટલું બસ છે. તેની ભાષાસંબંધમાં દેવધે ગણિના સમય સુધીની જૈનસાહિત્યની અસ્તવ્યસ્ત દશા ઉપરથી એ અનુમાનપર આવી શકીએ કે વારસામાં મળેલી મૂળ ભાષામાં ધીમે ધીમે પરિવર્તન થયું છે. તેમ છતાં એ સંભવિત છે કે ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિના સાંપ્રદાયિક સુધારકે લેકસમૂહના મોટા ભાગને મોક્ષમાર્ગ સમજાવવા બ્રાહ્મણ વિદ્રાની સામે થઈ વિઠભે સંસ્કૃત ભાષાના બદલે સામાન્ય જનસમૂહની ભાષા પિતાના ઉપદેશ માટે વાપરતા થયા હતા. લેકસમૂહની આ ભાષા મહાવીરની જન્મભૂમિ મગધની માતૃભાષા અને લિપિ હોય તેમ જણાય છે. તેમ છતાં જેને એ વાપરેલ માગધી “અશોકના શિલાલેખો તથા પ્રાકૃત વૈયાકરણીઓની માગધી સાથે ઓછો સંબંધ ધરાવે છે”૪ આ કારણે જેને એ વાપરેલી શુદ્ધ ભાષાને અર્ધમાગધી-મિશ્રભાષા કહેવામાં આવે છે કે જે મોટા ભાગે માગધીની બનેલી છે, પરંતુ તે સાથે તેણે પરભાષામાં પણ કેટલાંક ત ગ્રહણ કર્યા છે. મહાવીરે પોતે તેમના • સંસર્ગમાં આવનારાઓને સમજાવવા માટે આવી મિશ્રભાષા વાપરી હતી કેમકે તેથી પિતાની માતૃભૂમિના સીમાડા પર રહેતી પ્રજા પણ તે ભાષા સમજી શકેપ જૈનદંતકથા અનુસાર “જાનું સૂત્ર અર્ધમાગધી નામની ભાષામાં રચાયું હતું પરંતુ તે “જુના સૂત્રની” જૈન પાકૃતભાષા ટીકાકારે અને કવિઓની ભાષાથી જુદી પડે છે. જૈનો તે ભાષાને ત્રાષિઓની ભાષા અર્થાત આર્ષ કહે છે, જ્યારે સિદ્ધાંત લખવામાં વપરાયેલ ભાષા મહારાષ્ટ્રને લગભગ મળતી છે કે જે જૈન મહારાષ્ટ્રી તરીકે ઓળખાય છે. જૈન ગ્રંથને છેવટના રૂપમાં મૂકતા પહેલાં જેને એ વાપરેલી અને વિકસાવેલી ભાષાની ખૂબીઓની વિગતમાં આપણે ઉતરીશું નહિ. એટલું જ બસ છે કે “જૈન મહારાષ્ટ્રી, પવિત્ર ભાષા તરીકે સ્વીકાર્યા બાદ સંસ્કૃત ભાષામાં તેનું સ્થાન લઈ લીધું ત્યાંસુધી તે જૈનેની શાબ્દિક ભાષા તરીકે કાયમ રહી.” જૈનેના સૈદ્ધાંતિક સિવાયના અન્ય સાહિત્યમાં એક બાજુ ટીકાગ્રંથ કે જે સાહિત્યના એક સમૂહ તરીકે નિજજુત્તિ યા નિર્યુક્તિના નામે ઓળખાય છે તે અને બીજી બાજુ 1. cy. Webr, op. cil, p. 294; Charpentier, op. it., Int., p. 18. 2. Ibid., 3. About the Siddhanta of the Digambaras see Winternitz, op. cit., p. 316; Jacobi, op. cit., Int, p. 30. 4. Jacobi, p. cil. Int., p. 17. 5. Glasenapp, Der Jainismus, p. 81. 6. પોરાઇમહમહિમાસાનિયયં દવા સુi–Hemacandra, Prairi Grammar, iv. 287. 7. Jacobi, op. cit., Int., p. 20. For further details about the language of the sacred writings of the Jainas see ibid., pp. 17 ff. Glasenapp, op. cit., pp. 81 ff. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy