SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જૈન સાહિત્યમાં આ દંતકથા ઉપરાંત અન્ય ઉલ્લેખા પણ છે જે બતાવે છે કે ચંદ્રગુપ્ત જૈન હતા યા થયા હતા, પરંતુ આપણે આ સાહિત્યિકમિમાંસામાં ઉતરવાની જરૂર નથી. ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારીએ વિષે વિચાર કરતાં પહેલાં જેનેના દક્ષિણ તરફના પ્રયાણની ઉપયેાગિતા અને ચાણક્યના ધર્મ વિષે થાડા શબ્દો કહી લઈ એ. આ પ્રયાણ દક્ષિણના જૈન ઇતિહાસની ચાક્કસ ભૂમિકા આપણને આપે છે. આ ઉપરાંત દક્ષિણના ઇતિહાસની દૃષ્ટિએ એની ઉપયેાગિતા ઓછી નથી, કારણ કે દક્ષિણભારતના ઇતિહાસમાં એટલેાજ મહત્ત્વનેા પ્રાચીન પ્રસંગ બીજો કોઈ જણાતે! નથી. આમ ચંદ્રગુપ્તના યુગ જે સ્મિથની દૃષ્ટિએ ઇતિહાસવેત્તાને ઉત્તહિંદના અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે તે વિશેષમાં દક્ષિણ હિંદના ઇતિહાસમાં નવીન યુગ પ્રવર્તાવે છે. એ પણ એટલુંજ મહત્ત્વનું છે કે જે ધર્મે દક્ષિણહિંદને, જ઼ાનામાં જાનું તે નહિ, પરંતુ સર્વશ્રેષ્ઠ સાહિત્ય આપ્યું તેણે તેને પેાતાની પહેલી વિશ્વસ્ત ઐતિહાસિક દંતકથા પણ આપી. ૧૨૮ 6 જૈન માન્યતાનુસાર ચાણક્ય પણ જૈન હતા, તે જૈન ગુરૂઓને માન આપતા અને વૃદ્ધાવસ્થામાં સાચા જૈન સાધુ તરીકે અનશન કરી સ્વર્ગે જવા તેણે પ્રયત્ન પણ કર્યાં હતા. દંતકથા ઉમેરે છે કે ‘ દુષ્ટ અમાત્ય' પશ્ચાત્તાપ કરતા નર્મદા તટ પર ‘ શુકલતીર્થ' આન્યા જ્યાં તે મૃત્યુ પામ્યા; ચંદ્રગુપ્ત પણ તેની સાથે ગયા હતા એમ કહેવાય છે.૪ ‘શુકલતીર્થ ’ ‘ એન્ગેાલ’ના સંસ્કૃત શબ્દ છે જેને કાનડી ભાષામાં · ધવલ સરોવર' કહે છે. શિલાલેખમાં પણુ જ સરસ્, અથવા · ધવલ સરોવરને' ઉલ્લેખ છે.પ આ આકસ્મિક સામ્ય લાક્ષણિક છે. ઝીણી વિગતાને દૂર રાખી રાઈસ ડેવીડસ પણ આ માન્યતા સ્વીકારે છે. તે જણાવે છે કે “ મળી આવતા સાહિત્ય અને શિલાલેખેાના પૂરાવા જૈન પરંપરાને વાસ્તવિક અંશે ટેકો આપે છે.” તેણે ઉમેર્યું છે કે “ એટલું ચાકકસ છે કે હિંદુધર્મશાસ્ત્ર ચંદ્રગુપ્તને દશ સૈકાસુધી તદ્દન વિસારી મૂકે છે.”૬ એ સંભવિત છે કે પોતાની કારકિર્દિના અંતમાં મૌર્ય રાજાએ જૈનધર્મ સ્વીકાર્યાથી બ્રાહ્મણ લેખકોએ કદાચ તેના વિષે મૌન સેવ્યું હોય, * અંતે ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારીએ વિષે વિચારતાં જૈન પરંપરા બિંદુસાર, અશાક, કુનાલ અને સંપ્રતિને જણાવે છે. શૈથુનાગ અને નંદાની માફ્ક મૌર્યાના સંબંધમાં પણ વિવિધ 1. CJ. Jacobi, Pariśisataparvan, pp. 61.62. 2. Cf. Smith, Oxford History of India, p. 72. 3. Cf. Jacobi, ob. ct., p. 62 ; Jolly, Arthaśāstra of Kautilya, Int,, pp. 1011, For the mutual relations between the Arthasästra and Jaina literature see ibid., p. 10. We have seen that the Jaina tradition puts Canakya's father as supposed to have been both a Brahman and a devout Jaina. This looks like the Brahman-Christians of our days. This means that Caṇakya's family was of the Brahman origin by birth or heritage, and Jaina by faith. To quote Edward Thomas: “But though our king-maker was a Brahman, he was not necessarily. in the modern acceptation of the term. Brahmanist.'"-Thomas (Edward), op. cit., pp. 25-26. 4. Cj. Smith, op. cit., p. 75, n. 1. 5. Cf. Narsimhachar, op. cit., Int., p. 1. 6. Rhys Davids, Buddhist Idia. pp. 164,270. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org/
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy