SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ કલ્પસૂત્રમાં ઉલ્લેખ આવે છે કે “જે રાત્રે ભ૦ મહાવીર સર્વ કર્મને ક્ષય કરી નિર્વાણ પામ્યા તે રાત્રે કાસી કેસલના રાજાઓ, નવ મલકિ રાજાઓ અને નવ લિચ્છવિ રાજાઓએ વ્રતના દિવસતરીકે ઉત્સવ ઉજવ્યું હતું કારણ કે તેઓએ કહ્યું કે “સર્વરરૂપ આધ્યાત્મિક દીપક અસ્ત થતાં પાર્થિવ દીપક કરીએ.”૨ જેનસૂત્રોના આ બે ઉલલેખ ઉપરાંત ઉવાસદસાઓમાં જિતશત્રુ રાજાને ઉલેખ છે, જે હર્બલેના અભિપ્રાય પ્રમાણે જૈન અને લિછવિ રાજા ચેટકને નિર્ણય કરવામાં બહુ ઉપયોગી છે. જેના સાતમા અંગને દશ અધ્યયનમાંના પ્રથમ અધ્યયનમાં સુધર્મા જંબુને કહે છે કે ખરેખર! જંબૂ! તે કાલે તે સમયે વાણિયગામ નામે નગર હતું...વાણિયગામની બહાર ઇશાન ખૂણામાં એક દ્વિપલાસ નામનું ચૈત્ય હતું. તે વખતે વાણિયગામને રાજા જીતશત્રુ હતેતે સમયે તે ગામમાં આનંદનામનો ગૃહસ્થ વસતે હતે જે સમૃદ્ધ અને સર્વશ્રેષ્ઠ હતા. તે સમયે, તે કાલે શ્રમણ ભ૦ મહાવીર ત્યાં પધાર્યા. લેકસમૂહ ત્યાં ઉપદેશ સાંભળવા આવ્યો હતો. રાજા કૃણિયે એક પ્રસંગે કર્યું હતું તેમ રાજા જીતશત્રુ પણ તેમનો ઉપદેશ સાંભળવા બહાર આવ્યું હતું અને આમતે તેમની સેવામાં રહ્યા હતા.પ અહીં જે જીતશત્રુને ઉલ્લેખ છે તેને ડૉ. હર્બલ અને ડૉ. બારનેટ મહાવીરના મામા ચેટક કે ચેડગ તરીકે ઓળખાવે છે. કારણ કે આપણે હવે પછી જોઈશું તેમ જીતશત્રુનું વાણિયગામ એ વૈશાલીનું બીજું નામ કે તે નામથી ઓળખાતો તેને કઈ ભાગ હતો. ડૉહર્બલેના શબ્દમાં મૂકીએ તે “સૂર્યપ્રજ્ઞપ્તિમાં જીતશત્રુને વિદેહની રાજધાની મિથિલાના રાજકર્તા તરીકે ઉલ્લેખ છે. અહીં તેને વાણિયગામ અથવા વૈશાલીના રાજકર્તા તરીકે ઉલ્લેખ છે. બીજી તરફ મહાવીરના મામા ચેડગ સાલિ અને વિદેહના રાજા કહેવાય છે...આ પરથી જણાય છે કે જીતશત્રુ અને ચેડગ એકજ વ્યક્તિ છે” વળી રાજા કૃણિય જેની સાથે રાજા જીતશત્રુની તુલના કરવામાં આવી છે તે બીજે કઈ નહિ પણ મગધના રાજા બિંબિસારને પુત્ર અને અનુગામી અજાતશત્રુ છે. વળી જ્યારે આપણે જાણીએ છીએ કે કુણિય તેના પિતાની જેમ મહાન જૈન હતું 1. “The Jainas celebrate the Nirvāņa of Mahāvira with an illumination on the night of new moon in the month Kārttika."-Jacobi, S.B.E., xxii., p. 266. 2. Ibid. 3."... one of the eleven disciples (Ganadhara) of Mahāvira, who succeeded him as head of the Jaina sect, being himself succeeded by Jambū, the last of the so-called Kevli. ..." Hoernle, op. cit., p. 2, n. 5. 4. Ananda is known to the Jainas as a typical example of a faithful lay-adherent of Jainism. Cf. Hemacandra, Yoga-Sastra, chap jii., v. 151 ; Hoernle, op. cit., pp. 7 ff. 5. Ibid., pp. 3-7, 9, 6. Barnett, op. cit., Int., p. vi. For further references to Jiyasattū in the eighth and the ninth Angas of the Jainas see ibid., pp. 62, 113. 7. Hoernle, p. cit., p. 6, n. 9. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy