SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમને સમય ६७ પ્રયત્ન કર્યાં, પરંતુ સ્ત્રીએ નગ્ન રહે એ યેાગ્ય ન લાગવાથી શિવભૂતિએ તેને કહ્યું કે ‘સ્ત્રી મુક્તિની અધિકારી નથી.’૧ આ પંથભેદની તારીખ શ્વેતાંબરા મહાવીર પછી ૬૯ મું વર્ષ જણાવે છે.ર મહાવીર નિર્વાણું અને વિક્રમ વચ્ચેની ૪૭૦ વર્ષની ગણત્રી મુજબ વિક્રમના મૃત્યુ પછી ૧૩૯ વર્ષે આ તારીખ આવે છે. આમ તારીખની બાબતમાં અને શ્વેતાંબર અને દિગંબર પક્ષ સંમત થાય છે, દિગંબરે પંથભેદ વિક્રમ પછી ૧૩૬ વર્ષ અને શ્વેતાંબર ૧૩૯ વષઁ થયાનું કહે છે. સમયની બાબતમાં આમ મળવા છતાં પંથભેદનાં કારણેાની બાબતમાં તેઓ મળતા થતા નથી. જિનચંદ્ર અને શિવભૂતિ ઐતિહાસિક કરતાં કાલ્પનિક વધુ લાગે છે, કેમકે બંને પંથેના દસ્તાવેજો આવા કાઈની પેાતાના પંથમાં ગણના કરતા નથી. આજ કારણને લઇને દિગંબર વિદ્વાન નાથુરામ પ્રેમી કહે છે કે “ આ ઉપરથી શું આપણે એવું અનુમાન કરવું કે એમાંના એક પણ પંથની ઉત્પત્તિ કેાઈ જાણતુંજ નહેતું? કાંઈક તે કહેવુંજ જોઈએ તે દૃષ્ટિએ પછીથી તેમના મગજમાં જે આવ્યું તે લખી નાખ્યું.” કાંઇક કર્કશ હાવા છતાં આ ટીકા એ વાત સાખીત કરે છે કે બંને ફિરકા મહાવીરના સમયથી માત્ર જંબૂસ્વામી-જે મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે અર્થાત્ ઇ. સ. પૂર્વે ૪૦૩ વર્ષે કાલધર્મ પામ્યા ત્યાં સુધીની શુરુઓની વંશાવળી સ્વીકારે છે. જંબૂ પછી બંને પક્ષા પોતપોતાના ગુરુએની તદ્ન જુદી વંશાવળીએ રજૂ કરે છે; પરંતુ ચંદ્રગુપ્તના સમયમાં થયેલ ભદ્રબાહુના બંને સ્વીકાર કરે છે.પ ખરું જોતાં આ બધી પરસ્પર વધી દંતકથાઓમાંથી સત્ય હકીકત મેળવી શકાય તેમ નથી અને તેથી જૈન સમાજના આ મહાન પંથભેદની ચેાક્કસ તારીખ નકકી કરવાનું કામ તન મુશ્કેલ છે. આ મુશ્કેલીની સામેજ એ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. પહેલા મુદ્દો એ છે કે બંને મતાને વિરાધ જૈન સાધુએ નગ્ન રહેવું અથવા પેાતાની જાતને ઢાંકવા માટે એક યા બીજું વસ્ત્ર રાખવું તે પ્રશ્ન પર નિર્ભર છે; બીજો મુદ્દો બંને ફિરકાના ઉદ્ભવના સમયની બંનેની સર્વસાધારણ એકમાન્યતા છે. 1. This is given in the પ્રવચનપરીક્ષા of Upadhyaya Dharmasāgara. J. Hiralal (H.), op. ct, pt. ii, p. 15. યોન્ડિસનમૂઽત્તાહિકમ રદારપુરે સમુqj.—Avasyaha-Satra, p. 324. 2. छव्वाससयाई नवुत्तराइं तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥ Ibid., p. 323. “The origin of the Digambaras is attributed to Sivabhūti (A.D. 83), by the Svetambaras as due to a schism in the old Svetambara church. . . ."-Dasgupta, op. cit., i., p. 170. 3 Premi, op. cit., p. 30. 4 Cf. Stevenson (Mrs), op. cit., p. 69. 5 Cf. Premi, op. and loc. it. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org/
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy