SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ દિક હર કિ વીક હ હ હ હ હ હ હ હ હ હ કિ કિ કિ | પીવું રૂધિર સરખું છે, અન્ન માંસ સરખું છે માટે રાત્રિભોજનની આસક્તિવાળાનો આહાર માંસભક્ષણરૂપ છે. (૨) હે યુધિષ્ઠિર! રાત્રે પાણી પીવું પણ યોગ્ય નથી તેમાં પણ તપસ્વીઓને અને વિવેકી ગૃહસ્થોને તો વિશેષ કરીને યોગ્ય નથી. (૩) જે બુદ્ધિમાન મનુષ્યો હંમેશા રાત્રે આહારનો ત્યાગ કરે છે તેઓને એક માસમાં ૧૫ ઉપવાસ જેટલું ફળ મળે છે. (૪) ઇતિ સ્કન્દપુરાણ વચનાનિ તથા રુદ્ર બનાવેલા કપાલમોચનસ્તોત્રમમાં સૂર્યની સ્તુતિ કરી છે તેમાં કહ્યું છે કે “નિત્ય એક ભક્ત (એકાશન) કરવાથી અગ્નિહોત્ર યજ્ઞ જેટલું ફળ મળે છે અને નિત્ય અનસ્ત ભોજનવાળાને (સૂર્યાસ્ત પહેલાં જમનારને) સર્વ તીર્થયાત્રાનું ફળ મળે છે. વળી રાત્રે ભોજન કરનારાઓની આચમનથી (સ્નાનથી, હાથ-પગ-મુખ વિગેરે ધોવાથી) પણ શુદ્ધિ કેવી રીતે થાય? કારણ કે “વેદના જાણનારાઓ કહે છે કે સૂર્ય ત્રણ તેજવાળો છે માટે સર્વ કાર્યો તેના કિરણોથી પવિત્ર થયેલા કરવાં. (૧) રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા અને દાન એ વિહિત (કરવા યોગ્ય) નથી અને ભોજન તો વિશેષતઃ કરવા યોગ્ય નથી. આયુર્વેદમાં પણ કહ્યું છે કે “હૃદય અને નાભિકમળ સૂર્યાસ્ત થવાથી સંકોચાય છે તેથી તેમજ સૂક્ષ્મ જીવોનું ભક્ષણ થવાથી પણ નક્તભોજન (રાત્રિભોજન) ન કરવું.” ઈતિ અન્યદર્શનીય શાસ્ત્ર પ્રમાણાનિ. એ રીતે લૌકિકમાં અને લોકોત્તરમાં રાત્રિભોજનનો નિષેધ હોવાથી ચારે આહારનો ત્યાગ કરવો. (ચૌવિહાર કરવો અને તેમ ન બની શકે તો (અશન, ખાદિમ, સ્વાદિમનો ત્રણ આહારનો ત્યાગ કરવો અર્થાત્ તિવિહાર કરવો અને તેમ પણ ન બની શકે તો) અશન અને ખાદિમ એ બેનો ત્યાગ કરવો જ (દુવિહાર અવશ્ય કરવો). તેમાં પણ સોપારી વિગેરે સ્વાદિષ્ટ વસ્તુઓને દિવસે પ્રથમથી જ શુદ્ધ કરી હરિ હરિ હરિ 8 થી કિ ક વરિ અરિ ઉર પર થી છ કિ હિ વીર ર ર ર | ૩ ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy