SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષપદ પામ્યા. ૭. એલક અને મરૂકની કથા રાત્રિભોજનનો મહિમા પ્રભાવ દર્શાવતી કેટલીક કથાઓ પ્રાપ્ત થાય છે. રાસ-સજઝાય આદિમ આવી કથાઓનો સમાવેશ થયો છે. જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગરથી શ્રાદ્ધ દિન કૃત્ય નામની લઘુ પુસ્તિકા પ્રગટ થઈ છે. તેમાં (પા. ૧૧૪ થી ૧૧૬માં) એલક અને મરૂકની કથા રાત્રિભોજનના સંદર્ભમાં સમજવા જેવી છે. આ ભારતમાં દશાર્ણપુર નામના નગરમાં ધનસાર્થવાહને ધનપતિની પુત્રી ધનવતીને મિથ્યાદષ્ટિ એવા ધનદેવની સાથે પરણાવી હતી. તે પતિના હસતાં છતાં શ્રાદ્ધધર્મ પાળતી હતી. એકદા તેના પતિએ રાત્રિભોજનના દોષ પૂછડ્યા, ધનશ્રીએ કહ્યા અને તે દિવસે ચૌવિહારનું પ્રત્યાખ્યાન કરાવ્યું. નજીકના કોઈ દેવે તેની પરીક્ષા કરવા માટે ધનદેવની બહેનનું રૂપ કર્યું અને ધનદેવને ખાવા માટે તે સારું ભોજન લઈને આવી. તે વખતે ધનશ્રીએ નિયમ સંભારી આપ્યા છતાં ધનદેવ ખાવા બેઠો, એટલે દેવે થપાટ મારીને તેના બે નેત્ર પાડી દીધા. (અંધ કરી નાંખ્યો) તે વખતે ધનશ્રીએ કાયોત્સર્ગ કરીને તે દેવને સંતુષ્ટ કર્યો એટલે તેણે કોઈ તરતના મરેલા એડકના નેત્ર લાવીને તેની આંખમાં જોડી દીધા ને દેખતો કર્યો. પ્રાતઃકાળે લોકોએ તેના નેત્ર વિચિત્ર જોઈ કારણ પૂછતાં રાત્રિનો વ્યતિકર કહ્યો એટલે લોકમાં તે એડકાક્ષના નામથી પ્રસિદ્ધ થયો. મરૂકની કથા કહે છે : ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મધુ નામના દ્વિજનો પુત્ર વામદેવ | રાત્રિભોજન કરનારો હતો. તે તેના શ્રાવકમિત્રની સાથે જાનમાં ઉ ર હીટ ફિ હિ હ હ ક છ છરિ હરિ હરિ ફિ ર ર ર કિ કિ કિ કિ ( ૧ ૫ ૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy