SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રથમ તે મતને પ્રચાર કાશી વગેરે પ્રદેશોમાં ઘણે હતું. તે સમયમાં તેમનાં તત્ત્વની ચર્ચા પણ ઘણી ચાલતી હતી, પરંતુ કાલક્રમના કારણથી, વર્તમાન સમયમાં આ મતને બહુ થડે પ્રચાર રહ્યો છે. કેટલાક વિદ્વાનોની એવી માન્યતા છે કે, વેદાક્તિઓનું જોર થવાથી સાંખ્યતત્ત્વની ચર્ચા ઘણી ઓછી થઈ છે. વર્તમાનકાળમાં સાંખ્યતને સમજાવવાવાળા અધ્યાપકે પણ વાસ્તવિક રીતે જોઈએ તેવા મળતા નથી. જો કે મિથ્યા આડંબરધારી કેટલાએક મુખથી એમ બેલે છે કે –સાંખ્યતને અમે સારી રીતે જાણીએ છીએ, પરંતુ અધ્યાપનકાળમાં પ્રતિપાદક શલીના અભાવે પાછળથી લજજાસ્પદ બને છે. એ અનુભૂત બીના છે. સાંખ્યમતને માનનારા લેકે હિં સોપદેશક વેદવાકાને બિલકુલ માન નહિ આપતાં ઘણાની દૃષ્ટિથી જુએ છે. “મિરજે મામેત ” ઈત્યાદિ વેદવાકયે ઉપર ઉદાસીનતા ધારણ કરે છે. તથા તે લેકે “મેક્ષનું કારણ ફકત તત્વજ્ઞાન જ છે,”. એવું માને છે. કિયાએ ભલે ગમે તેવી હોય, પરંતુ જે હૃદયમાં પચ્ચીશ તત્ત્વનું જ્ઞાન થાય, તે અવશ્ય મોક્ષ મળી શકે, એવી તેમની માન્યતા છે. તેની પુષ્ટિમાં માકરભાષ્યના પ્રાન્તભાગમાં કહેવામાં આવ્યું છે કે - इस पिर लाल खाद मोद नित्यं भुड्न च भोगान् यथाभिकामम्। यदि विदितं ते कपिलमतं तत् प्राप्स्यसि मोक्षसौख्यम વિન ?
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy