SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તવાખ્યાન, ઘટત્વ, કલશવ, કુંભત્વ વિગેરે પર્યાય ધર્મો પણ જાતિ કહેવાય નહિ. દરેકની અન્દર ઘટવ જાતિથી જ કામ ચાલી જાય છે. આ ઉદાહરણે તુલ્ય ધર્મમાં જાતિ નહિ માનવાનાં સમજવાં. એકના અધિકરણમાં જ્યાં બીજાને અત્યન્ત અભાવ આવતે હેય, પરંતુ તે બંને ધર્મો એક ઠેકાણે રહેતા હોય તે ધર્મો પણ જાતિ કહેવાય નહિ. જેમ ભૂતત્વ અને મૂત્વ. ભૂતત્વના અધિકરણ આકાશમાં મૂર્ણપણાને અભાવ છે, અને મૂર્ણપણાના અધિકારણ મનમાં ભૂતપણાને અભાવ છે, છતાં પણ પૃથ્વી, જલ, તેજ, વાયુ આકાશની અન્દર તે બંને ધર્મો રહેતા હોવાથી સંકર દોષને લઈને આ બે ધર્મો જાતિ રૂપે માનવામાં આવ્યા નથી. જાતિની ઉપર જાતિ માનવામાં અનવસ્થા દેશ આવવાથી સામાન્યપણું પણ જાતિ નથી. વિશેષની ઉપર જાતિ માનવાથી વિશેષ રૂપની હાનિને લીધે વિશેષની ઉપર પણ જાતિ માનવામાં આવી નથી. પર, અપર વિગેરે ભેદે તે પૂર્વ કહેવામાં આવેલા હોવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. જે સ્વભાવથી એક પિંડમાં સામાન્ય રહે છે તેજ રવભાવથી બીજા પિંડમાં પણ રહે છે. દિવ્ય, ગુણ, કર્મથી જુદા પદાર્થ તરીકે સામાન્યને માનવામાં આવે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy