SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ તન્વાખ્યાન. મામ્ મનુષ્યમાં માન્ય થઈ શકતી નથી. તેઓ એમ પ્રતિપાદન કરે છે કે “ઘાણેન્દ્રિય પૃથ્વીથી બનેલી છે, કેમકે રૂપ વિગેરેમાંથી તે કેવળ ગંધનેજ ગ્રહણ કરે છે; કુંકુમના ગંધને પ્રકાશ કરનાર ગાયના ઘીની માફક.” આવા અનુમાનથી ઘાણેન્દ્રિયમાં પાર્થિવત્વ સિદ્ધ કરવાની તેઓની ચેષ્ટા નિરર્થક થાય છે. કેમકે આ અનુમાનમાં આપેલ હેતુ વ્યભિચાર દેવાળે છે. તેલનું મર્દન કર્યા પછી સૂર્યનાં કિરણે ઉપર પડે ત્યારે ગંધની અભિવ્યક્તિ થવા છતાં તેમાં પાર્થિવત્વ હોતું નથી. તથા પૃથ્વી ઉપર પાણી સિંચવાથી-પાણી ગંધનું અભિવ્યંજક હોવાથી ગંધ પ્રકટ થવા છતાં તેમાં પાર્થિવત્વ સિદ્ધ થતું નથી. એથી ઉપર્યુકત હેતુ વ્યભિચારી સમજ. રસના-જિહા પાણીથી બનેલી છે, રૂપ વિગેરેની મધ્યમાં રસનું જ ગ્રહણ કરતી હોવાથી, સાથવાના રસના પ્રકાશક પાણીની જેમ. ” આવા અનુમાનથી “ રસનેન્દ્રિય પાણથી બનેલી છે. એવું સિદ્ધ કરવાની તૈયાયિકેની આકાંક્ષા પૂર્ણ થઈ શકતી નથી. કેમકે અહિં પણ, ઉપર જણાવ્યા મુજબ ખાણમાંથી નીકળતા લવણ, ખારે વિગેરે પદાર્થોમાં રસની પ્રકટતા હોવા છતાં પાણીથી ઉત્પત્તિ કહી શકાય તેમ નહિ હેવાથી હેતુ વ્યભિચાર દોષવાળે છે. એમ માનવું પડશે. ચક્ષુરિન્દ્રિય તેજથી બનેલ છે, રસ વિગેરેમાંથી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy