SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કમની સશિક્ષા નથી કહેવાયું. અથવા માત્ર હિતકારી જાણી તે વાતને આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તે સંગનું ફળ કઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ છવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી, બીજા જીવ પ્રત્યે નિર્દોષ દષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે.” મહાત્મા ગાંધીજી પ્રત્યે ડરબનના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ “ “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કમને કર્તા છે”, “આત્મા કર્મને ભક્તા છે”, “તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે –એ વિવેકજ્ઞાન છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને “વિવેકજ્ઞાન” અથવા “સમ્યફદર્શનની પ્રાપ્તિગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે; જે નિરૂપણુ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છે કારણોને વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મેહ, બુદ્ધિ હેવાને લીધે આત્માનું “અસ્તિત્વ', “નિત્યત્વ' અને “અવ્યાબાધ સમાધિસુખ' ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું તું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતાં જીવને સ્વરૂપ-આવિર્ભાવ """ મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને વેગ પૂર્વકાળે ઘણી વાર બન્યું છે, કેમકે જેને અનાદિ કાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પ કાળમાં છેડી શકાય નહીં; માટે ફરી ફરી સત્સંગ, સતશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય', Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy