SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ ચર્ચા “શ્રીમદ્ રાજચંદ્ર દરેક રીતે લાક્ષણિક ચિહ્નથી અંકિત પુરુષ હતા; એ દર્શાવવાને તેઓના જીવનની ઉપર દર્શાવેલી રૂપરેખા પૂરતી છે. તેઓની માનસિક શક્તિ અદ્ભુત રીતે ચમત્કૃતિવાળી હતી. તેમજ તેઓના ચારિત્રની નૈતિક ઉન્નત તિ કરાવનાર હતી. સત્ય પ્રત્યે તેઓના આદર, વ્યાપારમાં અત્યંત ચીવટથી નૈતિક તત્ત્વાને વળગી રહેવાનું વર્તન, ગમે તેટલી વિરુદ્ધતા છતાં જે ખરું તેઓ માનતા તે કરવાની તેઓની નિશ્ચયવૃત્તિ અને તેના કર્તવ્ય સંબંધી ઉચ્ચ આદર્શ જેએ તેમેના સહવાસમાં આવતા તેનામાં પ્રેરણા કરી તેઓને ઉન્નતિની શ્રેણી પર ચઢાવતા. તેઓની ખાઘાકૃતિ ડીમાકવાળી ન હતી, પરંતુ આંતરિક શાંતિ અને ગાંભીર્ય તા તેઓનાં જ હતાં. તેનું ધર્મો તથા તત્ત્વજ્ઞાન સંબંધી વિશાળ અને યથાસ્થિત જ્ઞાન, તેએની સમજાવવાની અદ્ભુત શક્તિ અને ઉપદેશ કરવાની તેઓની દિવ્યપદ્ધતિ હોવાથી તેમના ઉપદેશ પૂર્ણ લક્ષપૂર્વક સાંભળવામાં આવતા હતા. ઉશ્કરનાર સંજોગા હેાય ત્યારે પણ તેઓના આત્મસંયમ એટલા બધા પૂર્ણ હતા, તેઓની મધ્યસ્થ રીતે સમજાવવાની શક્તિ એટલી બધી મહાન હતી અને તેઓની હાજરી એટલી બધી પ્રેરણાત્મક હતી કે જેએ તેની સાથે વાદિવવાદ કરી તેઓના ઉપર જય મેળવવાની બુદ્ધિએ આવતા તેઓ તદ્દન તેઓથી વશ થઇને તેમની આદરપૂર્વક સ્તુતિ કરતા પાછા જતા. 66 હિંદની વર્તમાન દશા પર શ્રીમદ્ રાજચંદ્રને ખેદ થતા હતા અને તે દૂર કરવાને હંમેશાં ઇચ્છા ધરાવતા હતા. વર્તમાન સામાજિક અને રાજકીય પ્રશ્નો પરના તેના વિચારે ઉદાર હતા. બધા સુધારકામાં જે સુધારક પવિત્રતમ આશયથી અને દાંભિક વૃત્તિ વગર સુધારાનું કાર્ય કર્યાં જાય છે તેને શ્રીમદ્ ઉચ્ચતમ પંતિ આપતા. તેનાં પાછલાં વર્ષોંમાં એ તો સ્પષ્ટ જણાતું હતું કે શ્રીમદ્ પેાતાના જીવનને Jain Educationa International ૨૦૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy