SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ સમકીત શુદ્ધ પ્રકાશ્યું રે’ “ ‘આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યું છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે, એવા શ્રી તીર્થંકરના અભિપ્રાય છે. “એવું સ્વરૂપ જેને ભાયું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્દા છે જેને તે પુરુષને ખીજરુચિ સમ્યક્ત છે.” સમ્યક્ દર્શન પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ જણાવતાં શ્રીમદ્ એ જ વર્ષમાં લખે છેઃ જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થના એધ પામ્યા છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યા નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી એધ પામ્યા છે, તે જીવને સમ્યક્ દર્શન થાય છે. 66 “ અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તેા પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે.'' શ્રીમની પ્રણિપાત સ્તુતિઃ “હું ! પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખા અત્યંત ક્ષય કરનારા એવા વીતરાગ પુરુષના મૂળમાર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યા, તે અનંત ઉપકારના પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમદ્ કંઇ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહે એટલું માગું છું તે સફળ થાએ. ૐ શાંતિ । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy