SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ઇલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ સજીવ જ સિદ્ધ થાય છે. ‘અન્નત્થ’ સૂત્રના વિવેચનના પ્રસંગ પર લલિતવિસ્તરા ગ્રન્થમાં પણ શ્રી રિભદ્રસૂરીજી મહારાજે બતાવ્યું છે કે ‘યવા ચોતિ: સ્પૃશતિ તવા પ્રવરળાય પગ્રહનું ર્વતઃ અવિનાયોત્સર્ગમંગ' કાયોત્સર્ગમાં દીવાનો પ્રકાશ જ્યારે શરીર પર પડે છે ત્યારે ઓઢવા માટે કામળો લેવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર દ્વારા સંશોધિત અને પ્રમાણિત કરેલી ધર્મસંગ્રહવૃત્તિમાં ‘અન્નત્થ’ સૂત્રના વિવેચનના પ્રસંગ પર મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર્યશ્રીને પણ ‘અને વિદ્યુતો વા ઝ્યોતિષઃ સ્પર્શને પ્રાવરનું વૃધ્નતોઽપિન મા' (ભાગ ૨/ગા. ૬૧ વૃત્તિ/પાનું ૬૧) આમ કહીને બતાવ્યું છે કે અગ્નિનો પ્રકાશ (રોશની) અથવા વીજળીનો પ્રકાશ શરીર પર પડે તો શરીરને ઢાંકવા માટે કામળાને ગ્રહણ કરવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી. જો તેઉકાયનો પ્રકાશ જ્યારે ઉત્પત્તિ સ્થાનથી દૂર ફેલાતો હોય ત્યારે સચિત્ત (સજીવ) નથી હોતું તો આપણા શરીર પર દીવા કરવાથી પ્રકાશ પડે તો ચાલુ કાયોત્સર્ગમાં કામળો ઓઢવાની આવશ્યકતા રહેતી નથી. એટલે દીવાનો પ્રકાશ, લાઇટ પ્રકાશ, બલ્બ પ્રકાશ સ્વયંના ઉત્પત્તિસ્થાનમાં અને ઉત્પત્તિસ્થાનથી દૂર જ્યાં એ ફેલાય છે ત્યાં - બંને સ્થાનોમાં સચિત્ત = સજીવ છે - એમ જ સિદ્ધ થાય છે. શંકા - આવશ્યકનિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા અને ધર્મસંગ્રહવૃત્તિ ગ્રંથમાં ચાલુ કાયોત્સર્ગમાં રોશની (અજવાળું) (પ્રકાશ) આવવાના સમય કલ્પ પ્રાવરણની (કામળો પહેરવાની) જે વાત કરી છે તે તેઉકાયના જીવોની રક્ષા કરવા માટે છે. એનું કોઈ બીજું પ્રયોજન નથી - એમ માનવાના પ્રમાણ ક્યા છે? કોઈ બીજું પ્રયોજન ત્યાં શા માટે નથી માનતા? સમાધાનઃ પૂર્વમાં (પૃ. ૫૩) તત્ત્વાર્થસૂત્રવૃત્તિના આધાર પર આપણે જોઈ ગયા છીએ કે તેઉકાય (દીવાની જ્યોત) અને એનો પ્રકાશ બંને એક જ છે. એટલે તેઉકાય (દીવાની જ્યોત) જેમ સજીવ છે એ જ પ્રમાણે એનો પ્રકાશ(રોશની) પણ સજીવ છે. તથા પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણને વિશેષાવશ્યક ભાષામાં ‘રચાફરપ્રાિિમત્ત' (વિ.આ.ભા. ૨૫૭૬) આ પ્રમાણે કામળો રાખવાનું જે પ્રયોજન બતાવ્યું છે એની વ્યાખ્યામાં શ્રી હેમચંદ્રસૂરીજી Jain Educationa International 279 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy