SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે – તેવું માનવાની આવશ્યક્તા નથી. ઑક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે – તેવું માની શકાય છે. શાસ્ત્રમાં તો “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય' આટલું જણાવેલ છે. જ્યાં અગ્નિકાય હોય ત્યાં ઑકિસજન નામનો વાયુ હોય' – આવું જણાવેલ નથી. માટે “ઑક્સિજન ન હોવાથી બલ્બમાં અગ્નિકાય જીવ ઉત્પન્ન થઈ ન શકે - એમ ન કહી શકાય. અન્ય એક મહત્વની વાત એ છે કે નાઇટ્રોજન, આર્ગન વગેરે ઉમદા વાયુમાં ક્સિજન વાયુનું થોડું પ્રમાણ હોય જ છે. આ વાત “વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન વિજ્ઞાનકોશ-રસાયણિવજ્ઞાન-ભાગ-૫, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) નામના પુસ્તકમાં ડૉ. સી. બી. શાહ (M.Sc., Ph.D.) દ્વારા જણાવવામાં આવેલ છે. તે ઑક્સિજનને શોષી શકાય છે – એ વાત અલગ છે. નાઈટ્રોજન વગેરે વાયુ ઉમદા-નિષ્ક્રિય હોવાથી ગમે તેવા ઊંચા તાપમાને પણ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને લાકડા વગેરેની જેમ નાશ પામી જતા નથી, વપરાઈ જતા નથી. માટે જ તે લાંબા સમય સુધી બલ્બમાં પ્રકાશ-ગરમી વગેરેને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બની શકે છે. આ વાત વિજ્ઞાનકોશ (ભાગ-૫/પૃષ્ઠ ૪૧૨) પુસ્તકમાં ડૉ. (શ્રીમતી એમ. એસ. દેસાઈએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી પૂર્વે જણાવી ગયા તે મુજબ ફિલામેન્ટ સળગી ન જાય, બળી ન જાય તે માટે બલ્બમાં નાઈટ્રોજન વગેરે ઉમદા વાયુનું અસ્તિત્વ તો વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ પણ સિદ્ધ થાય જ છે. આ રીતે વિચાર કરવામાં આવે તો નાઇટ્રોજન અને ઓર્ગન નામનો વાયુ બલ્બમાં અગ્નિકાયને પ્રગટવામાં/ઉત્પન્ન થવામાં સહાય કરે છે, નહિ કે અન્ય શૂલ વાયુ-એમ માની શકાય છે. માછલી ઑક્સિજનના આધારે જીવે છે પણ પાણીમાંથી જ ઑક્સિજન મળે તો તેને તે સ્વીકારે છે તેમ “અગ્નિ હોય ત્યાં વાયું હોય' – આ વાત સાચી. પણ બલ્બ વગેરેમાં ઇલેક્ટ્રિસિટીના માધ્યમથી જે અગ્નિકાયના જીવો ઉષ્ણતા અને પ્રકાશસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેના અસ્તિત્વ માટે બહારની ખુલ્લી હવા પ્રતિકૂળ છે. પણ એકદમ પાતળી હવા, વાયર વગેરેના માધ્યમથી મળનારી હવા અથવા નાઈટ્રોજન, ઓર્ગન સ્વરૂપ જ વાયુ ઉપયોગી બની શકે છે - આમ કહી શકાય છે. એવું માનવામાં કોઈ શાસ્ત્રવિરોધ, સાયન્સવિરોધ, અનુભવવિરોધ કે યુક્તિવિરોધ આવતો નથી. સુજ્ઞ વાચકવર્ગે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે – ‘વિજ્ઞાન મુજબ, 213 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy