SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (Reduction) થાય છે - નહિ કે અગ્નિ બળવાથી થનારું ઑક્સિકરણ. એટલે આ ક્રિયા લોહ-અયસ્કની બળવાની ક્રિયા કહેવાતી નથી.” “એ જ પ્રમાણે જ્યારે લોખંડ બનતું હોય ત્યારે સચિત્ત તેઉકાય નથી. જેમ ઇંટની ભઠ્ઠીમાં બનતી ઇંટ સચિત્ત તેઉકાય નથી. પ્રાચીન કાળમાં પણ લોખંડ ભઠ્ઠીમાં લોખંડ બનતું હતું. એટલે એ વાત ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે કે ભઠ્ઠીના મધ્યની અગ્નિ જ સચિત્ત તેઉકાય છે. એમાં બનનારા લોખંડ અથવા ગરમ અયસ્કને સચિત્ત તેઉકાય નથી બતાવ્યા, કારણ કે એવો ઉલ્લેખ નથી.” જો લાલ ગરમ બનેલા લોખંડનું સચિત્ત તેઉકાયના રૂપમાં વર્ણન નથી મળતું, તો એને કુંભારની ભઠ્ઠીમાં પકવાના માટીના વાસણની માફક સમજવામાં આવ્યું છે – એમ માની શકાય છે. કુંભારની ભઠ્ઠીની વચ્ચે જે અગ્નિ બળે છે, એને સચિત્ત અગ્નિકાય માનવામાં આવેલ છે. (આ અગ્નિનું બળવું એટલે સંભવ છે કે એમાં ઑક્સિજન મળતું રહે છે, એટલે ઑક્સિજન (હવા)થી બળવાની પ્રક્રિયાને જ સચિત્ત તેઉકાયની ઉત્પત્તિ માટે એક આવશ્યક શરતના રૂપમાં માની છે. જ્વલન-બિંદુની ઉપર ઓક્સાઈડ બનાવવું.” આને માટે ભગવતીમાં જણાવ્યું છે કે – “વાયુ વગર અગ્નિ નથી હોતી.” જ્વલન-બિંદુની ઉપર તાપમાનનું હોવું તથા ઓક્સાઈડનું બનવું - એ સચિત્ત તેઉકાય (અગ્નિ)નું અનિવાર્ય અંગ છે. એટલે ઑક્સિજન (હવા અથવા પ્રાણવાયુ)ની પ્રક્રિયા (નું હોવું) સચિત્ત તેઉકાય પેદા કરવા માટે અનિવાર્યતા દર્શાવે છે. ૬૧ જેમ અગ્નિકાયને કામમાં લીધા વગર (સૌર-ચૂલો) સૂર્યની રોશનીથી ખાવાનું બનાવવામાં અથવા રાંધવામાં આવે છે, તે જ પ્રમાણે બલ્બના ફિલામેન્ટનો તાર ગરમ થઈને પ્રકાશ પેદા કરે છે. વીજળી (electricity)ના પ્રવાહના કારણે એટલે અગ્નિકાયના પ્રયોગ વગર (કારણ કે પ્રાણવાયુથી બળવાની અગ્નિનો એમાં અભાવ છે). એટલે એમ માનવું જોઈએ છે કે બળતો બલ્બ અચિત્ત જ છે, જ્યાં સુધી એનું ફિલામેન્ટ પ્રાણવાયુના સંપર્કમાં આવીને બળતું નથી.” - સૂર્યની રોશની અને ઇલેક્ટ્રિસિટીના તારમાં ચાલતો પ્રવાહ એ બંને ફક્ત પૌદ્ગલિક ઊર્જાઓ છે. ગેસ-ફિલ્ડ બલ્બમાં પણ પ્રાણવાયુ રહેવા નથી દેવાતો. શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી સીધી પ્રાણવાયુના સંપર્કમાં આવવાથી પોતે મંદ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે તથા લોખંડ પણ ભેજની ઉપસ્થિતિમાં મંદ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે તથા લોખંડ પણ ભેજની ઉપસ્થિતિમાં મંદ 207 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy