SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી સમયસાર ત્રણ લોકમાં ભ્રમણ કરાવાય છે. એ રીતે જે કંઈ શુભ કે અશુભ થાય છે તે સર્વ પણ પ્રશસ્ત અપ્રશસ્ત રાગ નામના કર્મવડે જ કરાય છે. ૩૩૪ કારણ કે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે અને કર્મ જ હરી લે છે. તે માટે સર્વ જીવો હંમેશાં અકર્તા જ છે. આમ નિશ્ચય કરીને પછી તેઓ ભગવાનના વચનોને સાંખ્યમત અનુસાર એકાન્ત ઘટાવે છે કે, ૩૩૫ આચાર્ય પરંપરાથી આવેલી શ્રુતિ પણ એ જ અર્થ કહે છે ! કે પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની ઇચ્છા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની ઇચ્છા કરે છે. - ૩૩૬ તેમાં કર્મ જ કર્મની અભિલાષા કરે છે. તેથી અમારા મત પ્રમાણે કોઈ જીવ અબ્રહ્મચારી થતો નથી. ૩૩૭ વળી પરઘાત નામકર્મ વડે જીવ પરને હણે છે અને ઉપઘાત નામકર્મવડે પોતાને હણે છે કે દુઃખી કરે છે, - ૩૩૮ તેમાં કર્મ જ કર્મનો ઘાતક છે. આત્મા કદાપિ ઘાતક થતો નથી. કારણ કે તે તો સર્વથા અકર્તા છે. ૩૩૯ આ પ્રમાણે જે શ્રમણો સાંખ્યમત અનુસાર શાસ્ત્રનું પ્રરૂપણ કરે છે તેઓના મત પ્રમાણે પ્રકૃતિ એકાન્ત કર્યા છે અને સર્વ આત્માઓને એકાન્ત અર્તાપણાની પ્રાપ્તિ થાય છે. ૩૪૦ પરંતુ જિનવાણી સ્યાદ્વાદયુક્ત છે તેથી એકાન્ત માનનાર પર તે વાણીનો કોપ ઊતરશે એવા ભયથી તેઓ અપેક્ષા પલટીને કહે છે કે પ્રકૃતિ કર્મ કરે છે અને “આત્મા આત્માનો કર્તા છે.” તથા પ્રકારે વિવાદ કરતા સાંખ્યમતાનુયાયી શિષ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy