SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૪૫ जा एस पयडीअटुं चेया व विमुंचए । अयाणओ हवे ताव मिच्छाइट्ठी असंजओ ॥३१४॥ जया विमुंचए चेया कम्मफलमणंतयं । तया विमुत्तो हवइ जाणओ पासओ मुणी ॥३१५॥ એ પ્રકૃતિ-નિમિત્તનો, જીવ કરે નહિ ત્યાગ; ત્યાં સુધી તે છે અજ્ઞ ને, મિથ્યાવૃષ્ટિ સરાગ. ૩૧૪ સકલ કરમફલનો યદા, ત્યાગે ભોક્તાભાવ; જ્ઞાતા દ્રષ્ટા તે મુનિ, વર્તે મુક્ત સ્વભાવ. ૩૧૫ પ્રકૃતિસ્વભાવ એટલે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકૃતિના ઉદયથી થતો સ્વભાવ, અર્થાત્ ચાર ગતિ, શરીર, રાગાદિભાવ, સુખદુ:ખ આદિ વેદન વગેરે કર્મના ઉદયમાં એકતા કરવી તે પ્રકૃતિસ્વભાવ છે. જ્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવરૂપ નિશ્ચિત લક્ષણના અજ્ઞાનથી આત્માને બંધનું કારણ એવા પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી, ત્યાં સુધી સ્વપરના એકત્વ જ્ઞાનથી અજ્ઞાની થાય છે, સ્વપરના એકત્વ દર્શનથી મિથ્યાદ્રષ્ટિ થાય છે, સ્વપરની એત્વપરિણતિથી અસંયમી થાય છે અને ત્યાં સુધી જ પર એવા દેહાદિ અને આત્માનો એકત્વ અધ્યાસ કરવાથી તે કર્તા થાય છે. પરંતુ જ્યારે તે જ આત્મા પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવરૂપ નિશ્ચિત લક્ષણના જ્ઞાનથી આત્માને બંધનું કારણ એવા પ્રકૃતિસ્વભાવને છોડે છે, ત્યારે સ્વપરના ભેદજ્ઞાનથી જ્ઞાની થાય છે, સ્વપરના ભદદર્શનથી સમ્યગ્દષ્ટિ થાય છે તથા સ્વપરની ભેદપરિણતિથી સંયમી થાય છે અને ત્યારે જ પર એવા દેહાદિ અને આત્માનો એકત્વ અધ્યાસ ન કરવાથી અકર્તા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy