SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૩૦] સમ્યગદશન-૧ મેરૂ જેવડા દુષ્કૃતને પણ જીવ, આ રીતે અણુ જેવડું બનાવી શકે છે અને એ અણુ જેવડાનોય આ પ્રકારે એ ક્ષય કરી શકે છે. શ્રી જિનકથિત માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધના સિવાયની કોઈ ઈચ્છા જ નહિ : અણુ જેવડા સુકૃતને પણ મેરૂ જેવડું બનાવી દેવાને અને મેરૂ જેવડા દુષ્કતને પણ અણ જેવડું બનાવી દેવાને તેમ જ નાના પણ સુકૃતની પરંપરાએ પરમ ફળને પામવાને અને મોટા પણ દુષ્કૃતના ફળથી બચી જવાને, આ ઉપાય અનન્તજ્ઞાનીઓ સિવાય કેણ બતાવી શકે ? એટલે, આપણું ઉપર, જીવ માત્રના ઉપર ભગવાન શ્રી જિનેશ્વરદેવને જે ઉપકાર છે, તે વચનાતીત છે. જે આ વાત ધ્યાનમાં આવી જાય, તે જીવને એમ જ થયા કરે કે–આ સંસારમાં મારે જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી મને ગમે તેવી સ્થિતિ પ્રાપ્ત થાય એની મને ચિન્તા નથી, પરંતુ જ્યાં જ્યાં મારે જવું પડે ત્યાં ત્યાં મને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલે માગ મળે, એ માર્ગની રૂચિ મળે અને એ માર્ગની આરાધના મળે, એટલે બસ છે! આમ, બીજી બધી જ ઈચ્છાઓ મટી જાય ને ? અને, બીજી બધી જ ઈચ્છાએ મટી જાય અને એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગની શ્રદ્ધાપૂર્વકની આરાધનાને જ મેળવવાની ઈચ્છા રહે, તે એવા જીવને માટે કઈ પણ કલ્યાણ અપ્રાપ્ત રહે ખરું? આ વાતને તમે વારંવાર વિચાર કરો. 'આજે તમે ભલે મોટાં સુકૃતેને આચરી શકે નહિ,–અને દુષ્કતેને આચર્યા વિના રહી શકે પણ નહિ, પરંતુ તમે જો આ વાતને વારંવાર વિચાર કર્યા કરશે, આ વાતનું રટણ કર્યા કરશે, આ વાતનું ચિન્તન અને મનન કર્યા કરશો, તે તમે તમારાં નાનામાં નાનાં સકૃતેને પણ પરંપરાએ પરમ ફળને દેનારાં બનાવી શકશે તેમ જ તમારા મેટામાં મોટાં દુષ્કૃતેને પણ અકિંચિત્કર જેવાં બનાવી શકશે, એટલે, સુખ તમને છોડશે નહિ અને દુઃખ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy