SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૬) તેજ દિવસે સાંજે મત્રી શ્રીપુર નગરની સમીપ આવી પહેચ્યા. આાવતાંજ તેને વિચાર થયે કે—આ ત્રણે અમુલ્ય વસ્તુ મને પ્રાપ્ત થઈ છે, તેા રાજા તથા પ્રજાને પુણ્યના કઇંક નવીન ચમત્કાર બતાવું કે જેથી સૌ કોઈ ધમ માં અધિકાધિક આદર કરે. રાજાને કોઈ અજબ ચમત્કાર બતાવુ કે તેના અંતરમાં ધર્મને માટે બહુમાન ઉત્પન્ન થાય. વળી અગણિત ધન વાપરીને પ્રજાહિતના અને ધર્મવૃદ્ધિના કામ કરૂ કે જે રાજાથી પણ થઇ ન શકે. જેના પ્રભાવથી આવી દિવ્ય સંપત્તિ મને સાંપડી, તે ધર્મના મહિમા વધારવામાં હું શા માટે બાકી રાખું ?” અજમ ચળકાટ એ પ્રમાણે વિચાર કરીને તેણે નગરની બહાર નદી કિનારે એક ઉંચી ટેકરી ઉપર કામઘટના પ્રભાવથી એક વિશાલ મહેલ અનાન્યેા. જેમાં મારી બારણા વિગેરે બધાં રત્ન જિત હતાં. મહેલના દેખાવ દૂરથી જોનારને સુવર્ણના જેવા લાગતા હતા. રત્નાપર સૂર્ય અને ચંદ્રના પ્રકાશ પડતાં તેના થતા હતા. મહેલની ચાતરમ્ ફરતા બગીચા હતા કે જેમાં દરરોજ દરેક ઋતુ સ ંબંધી પુષ્પો અને ફળે મળી શકે. બગીચામાં દરેક જાતના વ્રુક્ષા અને લતાઓ ફળ-ફુલાથી લચી રહ્યાં હતાં. એ બગીચે એવા સ્થાને હતા કે તેના ગુલાબ, મોગરા, ચમેલી, જાઇ, જીઇ, કેવડા, ચાપક વિગેરે પુષ્પાની દિવ્ય સુગ ંધ રાત દિવસ નગર જનાને મળ્યા કરે. તેમાં કેટલીક એવી ઔષધિઓ હતી કે જેના સુવાસ માત્રથી માણસના કેટલાક દર્દી દૂર થઇ શકે. મગીચાની ચાતરફ ચાર દરવાજા આવેલ હતા અને દરેક દરવાજા પાસે મીઠા જળની વાવડીએ હતી કે જ્યાં ગમે ત્યારે તૃષાતુર મુસ પેાતાની તૃષા શાંત કરી શકે. અગીચામાં કેટલાક હાજ અને ફુવારા પણુ રચવામાં આવ્યા હતા. અગીચાની ચાતરફ કરતા કિલ્લા હતા. તે જેટલા મનેાહર તેટલેાજ મજબુત હતા. મહેલના સાત મજલા બનાવવામાં આવ્યા હતા, તેથી તે દિવસે સૂર્ય Jain Educationa International For Personal and Private Use Only -- www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy