SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ દસ કરણ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પિતાની સર્વ શક્તિને કામે લગાવીને તે અંદરમાં સ્થિત તે રસની પ્રત્યે વળે છે પરંતુ થોડીક ક્ષણે માટે તે દુષ્ટ સંસ્કાર દ્વારા પુનઃ બહાર ફેંકી દે છે. આવી અંદર-બહારની ખેંચપકડમાં કોણ જાણે કેટલા જન્મ વીતી જાય છે. છતાં રસની એ પ્રથમ મધુર સ્મૃતિને કારણે તે પુનઃ પુરુષાર્થમાં લાગી જાય છે. જોકે અંદર-બહારની એ ખેંચપકડમાં તે સમતાને એ રસ નથી આવતે કે જે ઉપશમની અનુભૂતિની ક્ષણમાં આવ્યું હતું. છતાં તેને કંઈક સ્વાદ અવશ્ય આવે છે. સંસ્કારની આ નાહ્યલીલાને કરણાનુગની ભાષામાં “ક્ષપશમ કહે છે. તે અવસ્થામાં સંસ્કાર તેને પૂરા સમતારસનું પાન કરવા દેતા નથી કે રસાનુભૂતિમાં પુનઃ પુનઃ પ્રવેશ કરવા દેતા નથી તથા પુરુષાર્થ દ્વારા તેને દૂર કરી શકે તેવું સામર્થ્ય તેમાં હવે નથી. આ પુરુષાર્થને કારણે ઉદયમાં આવતાં પહેલાં અર્થાત તેની પૂર્વવર્તી ક્ષણમાં સત્તામાં રહેલા સંસ્કારની શક્તિનું અથવા અનુભાગનું એવું અપકર્ષણ થઈ જાય છે કે તે રસાનુભૂતિમાં ભલે કંઈ પણ ઉત્પન્ન કરે છતાં તેને સર્વથા લેપ થતું નથી. સંસકારની શક્તિ કંઈ ક્ષીણ થઈને ઉદયમાં આવે અથવા એમ કહે કે શક્તિ ક્ષીણ થવાને કારણે સંસ્કારને પિતાને પૂરે પ્રભાવ પાડવાને અવસર પ્રાપ્ત ન થવે તે પશમનું લક્ષણ છે. જે પ્રકારે મેતિયાબિંદુના કારણે અંધ થયેલી વ્યક્તિની આંખમાં શસ્ત્રક્રિયા દ્વારા કદાચિત્ જ્યોતિ આવી જાય તે હવે તે રાતિયાબિંદુ તિ “ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy