SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ર કર્મ રહસ્ય કરવામાં આવ્યું છે. કર્મવિધાન નામના અધિકારમાં દ્રવ્ય કર્મ તથા ભાવકર્મનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. કાર્પણ શરીરમાં નિબદ્ધ કાર્મણ વણાઓ પરમાણુઓ દ્વારા નિર્માણ થતી હોવાથી દ્રવ્ય કર્મ કહેવાય છે અને જીવાત્માના રાગષાત્મક ભાવ અથવા ફળભેગની આકાંક્ષા ભાવ-કર્મ કહેવાય છે. આ બંને પ્રકારનાં કર્મોમાં ઘનિષ્ઠ સંબંધ છે, જેમ ધુમાડાને જોઈને અગ્નિની પ્રતીતિ થાય છે, અથવા થરમમીટર દ્વારા ૧૦૪ ડિગ્રી બનાવને પારે જોઈને રેગીના તાવનું જ્ઞાન થાય છે, તે પ્રકારે દ્રવ્યકર્મની અવસ્થાઓ જોઈને ભાવકન અર્થાત્ જીવના ભાવેનું જ્ઞાન થાય છે. તે પ્રકારે ભાવકર્મની અવસ્થાએ પરથી દ્રવ્યકર્મની અવસ્થાએ જાણી શકાય છે. દ્રવ્યકર્મ સર્વથા જડ છે અને ભાવકર્મ એક અપેક્ષાએ ચેતન છે. જોકે તવદષ્ટિએ એ બંનેની વચમાં કઈ પ્રકારને સંબંધ નથી. છતાં તે બંનેની વચમાં એવું તત્વ સ્થિત છે કે વ્યવહારભૂમિ પર જડને ચિદાભાસી અને ચેતનને જડાભાસી બનાવી દે છે. તે તત્ત્વને હું સંસ્કાર કહું છું. કાર્પણ વગણનું સ્વરૂપ દર્શાવવામાં તેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. કરણનુગ તથા અધ્યાત્માનુગમાં નિમિત્ત અને ઉપાદાનમાં અથવા દ્રવ્ય કર્મ અને ભાવકર્મમાં સંબંધ સ્થાપિત કરવાને માટે આ તત્વને કંઈક વિશદ પરિચય હવે આવશ્યક છે. જોકે જૈન શાસ્ત્રોમાં સંસ્કાર નામના કોઈ તત્વનો સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી છતાં પણ અનુભવસિદ્ધ હોવાથી અહીં વિરોધ જણાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy