SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધવ્રતના ૫ અતિચાર (૧) અપ્પડિલેહિય – દુપ્પડિલેહિય સિજ્જા સંથારએ જે સ્થાનમાં પૌષધ કર્યો હોય તે સ્થાનનું તથા બિછાનાનું ઓઢવાનાં વસ્ત્ર, પરાલ, પાટ આદિનું સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રતિલેખન કર્યું ન હોય, પૂરેપૂરાં દેખ્યા વિના પ્રતિલેખન કરી કામમાં લીધાં હોય તથા હલનચલન કરતાં, ગમનાગમન કરતાં જમીનની કે પથારીની પ્રતિલેખના ન કરે અથવા ખરાબ રીતે પ્રતિલેખન કરે તો અતિચાર લાગે. કારણકે તેમ કરવાથી ત્રસ સ્થાવર જીવોની હિંસા થવાનો સંભવ છે. પ્રતિલેખન એટલે જોવું, તપાસવું, નિરીક્ષણ કરવું. - (૨) અપ્પમયિ - દુપ્પમજ્જિય સિજ્જા સંથારએ - ઉપર મુજબ દૃષ્ટિથી દેખવા છતાં કોઇ સ્થળે જિવની શંકા પડે તો ત્યાં, અગર દૃષ્ટિ બરાબર ન પહોંચે તેવાં અંધકારવાળા સ્થાનમાં રજોહરણ ગુચ્છઆદિથી પ્રમાર્જન કર્યા વિના ગમનાગમન કરે તથા સ્થાન પાટ બિછાનાનાં તેમજ ઓઢવાનાં વસ્ત્રાદિ પ્રમાર્જન કર્યા વિના કામમાં લે અથવા ખરાબ રીતે પ્રમાર્જ કરે તો અતિચાર લાગે. (૩) અપ્પડિલેહિય - દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ - વડીનીત, લઘુનીત, વમન આદિ પરઠવાની ભૂમિને સૂક્ષ્મ દૃષ્ટિથી દેખ્યા વિના તેમજ રાખ, છાણ, કચરો વગેરેના ઢગલા ઉપર પરઠવે અથવા નજર બીજે હોય અને પરઠવે તો અતિચાર લાગે. કારણકે આ પ્રમાણે પરઠવામાં હિંસા થવાનો સંભવ છે. (૪) અપ્પમજ્જિય દુપ્પમજ્જિય ઉચ્ચાર પાસવણ ભૂમિ - નજરે જોયા છતાં કોઈપણ જીવજંતુ હોવાની શંકા હોય તો અથવા અંધકારાદિના કારણે દૃષ્ટિનો ઉપયોગ ન પહોંચે તેવા સ્થાનમાં ગુચ્છા કે રજોહરણથી પ્રમાર્જન કર્યા વિના લઘુનીત, વડીનીત આદિ પરઠવે તો અતિયાર લાગે. Jain Education International (૫) પોસહસ્સ સમ્મ અણણુપાલણયા - પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ પ્રકારે અનુપાલન ન કરે. તેની જે વિધિ કહી છે તે પ્રમાણે કરે નહિ અથવા કર્યા બાદ શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૩૭૫ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy