SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સેવવો ઉચિત નથી. (૩) હિંસધ્ધયાણું હિંસાકારી શસ્ત્રોનું પ્રદાન, જે શસ્ત્રો વડે જીવની વાત થાય. તેવા શસ્ત્રો સંગ્રહી રાખે અને જરૂર પડતા પાડોશી વગેરેને તેવા શસ્ત્રો છરી, ચાકુ, ત્રિકમ, કોદાળી, પાવડા વગેરે વાપરવા આપે. આમ કરવામાં પોતાનો કશો સ્વાર્થ ન હોવા છતાં વિના કારણે પાપના ભાગીદાર થઈ પોતાના આત્માને દંડે છે, શ્રાવકે આવું કરવું તે ઉચિત નથી, (૪) પાવક—ોવએ? : પાપ કર્મોપદેશ. પાપકર્મોનો ઉપદેશ આપે. જેમને ધર્મશાળા, દેવાલયને માટે મકાન બંધાવવામાં કૂવાદિ જલાશય ખોદાવવામાં તથા તીર્થ સ્નાનાદિ કરવામાં, ધર્મસ્થાનમાં પંખા લગાવવામાં, નગારા, ઝાંઝ આદિ વાજિત્ર બજાવવામાં, પત્ર, પુષ્પ, ફળ, ધાન્ય આદિ દેવને ચડાવવામાં માંકડ, મચ્છર, સાપ, વીંછી આદિ ક્ષુદ્ર જાનવરને મારવામાં, ભેંસ બકરા, પાડા, કુકડા આદિનો રૂદ્રાણિ ભૈરવ આદિને ભોગ ચડાવવામાં, ઋતુદાન દેવામાં, લગ્નાદિ કરાવવામાં ઇત્યાદિ હિંસક કાર્યોમાં ધર્મ થાય છે એવો ઉપદેશ કરે તથા લડાઈ ઝઘડાનો, બીજાને હેરાન કરવા, ખોટા મુકદમાં કરવાનો, ભોગના ૮૪ આસન વગેરે કામશાસ્ત્રનો, જ્યોતિષ નિમિત્તનો, યંત્ર, મંત્ર, તંત્રનો ત્રસ જીવોની હિંસા થાય એવા ઔષધોપચારનો શાસ્ત્રોનો ઉપદેશ કરે. તેને સાંભળીને મનુષ્ય જે જે પાપકર્મનું આચરણ કરશે તે તે હિંસાનો ભાગીદાર તે ઉપદેશક બનશે તથા મિથ્યાધર્મની વૃદ્ધિ થવાથી સંસારમાં ડૂબશે. તે બધા પાપ તે ઉપદેશકને લાગે છે અને તેના હાથમાં કશું આવતું નથી આવાં અનર્થ દંડથી પોતાના આત્માને દંડિત કરવો તે શ્રાવકને ઉચિત નથી, એટલા માટે આ અનર્થદંડનો બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરી પ્રથમ વ્રત પ્રમાણે આ વ્રત પણ શ્રાવક અંગીકાર કરે છે. ૩૬૨ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy