SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસ (આસ્થા) હોય તેને ફળ પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશું તો અન્નકજી, કામદેવ, મંડૂકજી, શ્રેણિક મહારાજા અને કૃષ્ણ વાસુદેવ આદિસમ્યગ્દષ્ટિ શ્રાવકો કેટલી બધી દઢ શ્રદ્ધાના ધારક હતા ! અરહત્રક, કામદેવ, શ્રેણિક અને કૃષ્ણજીનું ચરિત્ર ઘમાં જૈનબંધુઓ જાણતાં હોય છે. પરંતુ મંડૂક શ્રાવક વિષે ઘણાં અજ્ઞાન હોય છે. તેથી અહીં ટૂંકમાં તેમનો પરિચય આપીએ છીએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, રાજગૃહી નગરીના ગુણશીલ ચેત્યમાં મહાવીર પ્રભુએ પંચાસ્તિકાય વિષે વ્યાખ્યાન ફરમાવ્યું, તેની સમજ કાલિકાદિ અન્ય તીર્થિઓને ન પડવાથી તેઓ સમવસરણની બહાર નીકળી ઉપહાસ કરવા લાગ્યા. એટલામાં મંડૂક શ્રાવક પ્રભુ દર્શનાર્થે જતાં હતાં તેને જોઈ બોલ્યા કે તારા ગુરુ મહાવીર તો ગપ્પા મારે છે. આજે વ્યાખ્યાનમાં કહ્યું કે ધર્માસ્તિકાય ચલન સહાય છે વગેરે; પણ અમે તો જરા પણ જોઈ શકતા નથી. મંડૂકજી વિશેષજ્ઞ તો નહોતા; પણ ઉત્પાતિકી બુદ્ધિથી તરત જવાબ આપ્યો કે, ઓ વૃક્ષમા પાંદડાં કોણ હલાવે છે? તેમણે કહ્યું કે પવન” મંડૂકજી બોલ્યા પવનને તમે જોઈ શકો છો? તેઓ કહે, “ના', તો પછી પવનનું નામ શા માટે લો છો? ત્યારે તેઓ કહે – પાંદડા હાલતાં જોઈને. ત્યારે મંડૂકજી બોલ્યા જેમ વાયુ સૂક્ષ્મ છે તેમ ધર્માસ્તિકાય પણ સૂક્ષ્મ છે. અને જેમ વાયુ પાંદડા હલાવવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાય પણ ચલન શક્તિમાં સહાયક છે. ઇત્યાદિ પ્રત્યુત્તરથી પ્રતિપક્ષને નિરૂત્તર બનાવી તેઓ સમવસરણમાં આવ્યા. ભગવાને ચારે તીર્થ સન્મુખ તેમની પ્રશંસા કરી. અન્નક વગેરે શ્રાવકો મરણાંત ઉપસર્ગથી કે દેવતાના ડગાવવાથી તેઓ કિંચિત્ પણ ચલાયમાન થયા ન હતા. એટલું જ નહિ પણ તેમની ધર્મદઢતા જોઈને ઉપસર્ગ દેનારા પણ મિથ્યાત્વનો ત્યાગ કરી સમકિતી બની ગયા હતા. આવી દઢ શ્રદ્ધાથી જ તેઓ એકાવતારી થયા અથવા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી શક્યા. માટે ધર્મમાં દઢ શ્રદ્ધા રાખવી. કેટલાક અન્ય મતાવલંબીઓ જૈન ધર્મને અર્વાચીન બતાવે છે. અને પોતપોતાના ધર્મને પ્રાચીન બતાવી જૈનોને શ્રદ્ધા ભ્રષ્ટ બનાવે છે. પરંતુ તેમણે જાણવું જોઈએ કે વેદ, પુરાણ તથા અન્ય અનેક ગ્રંથોથી જૈન ધર્મ બધા ધર્મથી પ્રાચીન છે. અનાદિ છે એવું સિદ્ધ થાય છે. આવા અનેક પ્રમાણ છે. તેમાંથી થોડાંક નીચે આપીએ છીએ. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy