SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પાંચમી પડિયામાં એક મહિના સુધી પાંચ દત્તિ આહારની, પાંચ દત્તિ પાણીની લે. (૬) છઠ્ઠી પડિયામાં એક મહિના સુધી છ દત્તિ આહારની, છ દત્તિ પાણીની લે. (૭) સાતમી પડિયામાં એક મહિના સુધી સાત દત્તિ આહારની સાત દાત પાણીની લે. (૮) આઠમી પડિકામાં ૭ દિન સુધી એકાંતર ચૌવિહાર ઉપવાસ કરે, દિવસે સૂર્યની આતાપના લે, રાત્રે વસ્ત્રરહિત રહે, રાત્રિના ચત્તો અથવા એકજ પડખાભેર સુઈ રહે અગર કાઉસગ્નમાં બેસી રહે. આ ત્રણ પૈકી કોઈ પણ એક આસને સ્થિર રહે. દેવ, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગ આવે તો સહન કરે. પણ ચલિત થાય નહિ. (૯) નવમી ડિમા પણ આઠમી જેવી જાણવી. પણ એટલું વિશેષ કે, રાત્રે દંડાસન (ઊભો રહે) કે લગડાસન (પગની એડી અને માથાનું શિખાસ્થાન જમીનને લગાડી આખું શરીર કમાનની પેઠે અધ્ધર રાખે) કે ઉક્કડુ આસન (બન્ને ઘૂંટણ વચ્ચે શિર ઝુકાવીને રહે) એ ત્રણમાંથી કોઈ પણ એક આસને આખી રાત રહે. (૧૦) દસમી પડિમા પણ આઠમી જેવી જાણવી. વિશેષમાં ગોદુહાસન, (ગાય દોહવા બેસે તેમ રહ) વીરાસન (ખુરશી ઉપર બેઠા પછી ખુરશી લઈ લીધી હોય અને એજ સ્થિતિમાં રહે તે) શીર્ષાસન (માથું નીચે અને પગ ઉપર) આ ૩ માંથી કોઈ એક આસને રાત્રિ પૂર્ણ કરે. (૧૧) અગિયારમી પડિકામાં છઠ્ઠ કરે, બીજે દિવસે ગામબહાર આઠ પહોરે કાયોત્સર્ગ કરી ઊભા રહે. અહોરાત્રની (દિવસ-રાતની) (૧૨) બારમી પડિકામાં અઠ્ઠમ કરે. ત્રીજે દિવસે મહાકાળ (ભયંકર) સ્મશાનમાં એક જ વસ્તુ પર અચલ દૃષ્ટિ સ્થાપી કાઉસગ્ગ કરે. દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગ આવે તે સમભાવે સહન કરે. આમાંથી કદાચ ચલિત થઈ જાય તો (૧) વિકળતા (ઉન્માદ) પ્રાપ્ત થાય. (૨) દીર્ઘકાળપર્યત રહે તેવો રોગ ઉત્પન્ન થાય અને (૩) જિનપ્રણિત ધર્મથી ભ્રષ્ટ થાય અને જો નિશ્ચળ રહે તો (૧) અવધિજ્ઞાન, (૨) મનઃ પર્યવજ્ઞાન, (૩) કેવળજ્ઞાન. આ ત્રણમાંથી કોઈપણ એક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. ૧૩૬ ઉપાધ્યાય અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy