SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશામાં વસ્ત્ર કર્મનું દૃષ્ટાંત અને કર્મના ૧૬ દ્વાર, ચોથા ઉદ્દેશામાં જીવ, કાળ, સપ્રદેશી - અપ્રદેશીનું તથા ૨૪ દંડકમાં પ્રત્યાખ્યાનનું, પાંચમા ઉદ્દેશામાં તમસ્કાયનું, કૃષ્ણરાજીનું તથા લોકાંતિક દેવોનું વર્ણન છે. છઠ્ઠા ઉદેશામાં નરક અને દેવના આવાસનું અને મારણાંતિક સમુદ્દાતનું કથન છે સાતમા ઉદ્દેશામાં ધાન્યની યોનિનું કાળ પ્રમાણ છે તથા પહેલા આરાનું વર્ણન છે. આઠમા ઉદ્દેશામાં નરકનું, છ પ્રકારના આયુબંધનું, લવણ સમુદ્રના પાણીનું કથન તથા દ્વીપ સમુદ્રોના નામ છે. નવમા ઉદ્દેશામાં એક કર્મની સાથે અન્ય કર્મ બાંધવાનું, દેવતાનાં વૈક્રિયનું, શુધ્ધાશુધ્ધ લેશ્યાનું વર્ણન છે. દસમા ઉદ્દેશામાં સુખ દુઃખનાં પુદ્ગલનું, જીવ અને ચૈતન્ય એકનું, જીવ અને પ્રાણ અલગનું, ભવ્ય અભવ્યનું, સુખ દુઃખનું, આહા૨નાં ક્ષેત્રનું અને કેવળી નોઈન્દ્રિયનું કથન છે. (૭) સાતમા શતકના ઃ પ્રથમ ઉદ્દેશામાં આહા૨ક અણાહા૨ક, લોકના સંસ્થાનનું, શ્રાવકની સામાયિકનું, પૃથ્વી ખોદતાં ત્રસના ઘાતક નહીં હોવાનું, શુધ્ધ આહારદાતા સહાયક થઈ મોક્ષ પ્રાપ્ત કરવાનું, કર્મરહિત જીવની ગતિ ગમન કરવાનું, સાધુને ક્રિયા, ઇંગાલ, ધુમ્ર, ક્ષેત્રાતિક્રાંત, કાલાતિક્રાંત, માર્ગતિક્રાંત, શાસ્ત્રાતીત, એષણીય, ગવેષણ, સામુદાણી, આહારના અર્થનું વર્ણન છે. બીજા ઉદ્દેશામાં સુપ્રત્યાખ્યાન, દુષ્પ્રત્યાખ્યાનનું અને જીવ શાશ્વત અશાશ્વતનું સ્વરૂપ છે. ત્રીજા ઉદેશામાં વનસ્પતિકાય, અનંતકાયનું, લેશ્યાનુસાર કર્મસંચયનું, વેદના નિર્જરાનું અને ના૨કીની સાતા અસાતાનું વર્ણન છે. ચોથા ઉદ્દેશામાં સંસારી જીવનું, પાંચમા ઉદ્દેશામાં ખેચરની ત્રણ યોનિનું, છઠ્ઠા ઉદ્દેશામાં અહીં આયુ બાંધે ત્યાં ભોગવે, અહીં અલ્પ વેદના ત્યાં મહાવેદના, આભોગ નિવર્તિત આયુ, અનાભોગ નિવર્તિત આયુનું, ૧૮ પાપથી કર્કશ કર્મબંધનનું, દયાથી શાતા પ્રાપ્ત કરવાનું, દુઃખ દેવાથી દુઃખ પ્રાપ્ત કરવાનું અને છઠ્ઠા આરાનું વર્ણન છે. સાતમા ઉદ્દેશામાં સંવૃત્ત સાધુની ક્રિયાનું, કામભોગનું, અવધિ પરમ અવધિનું, અસંજ્ઞીની અકામ વેદનાનું કથન છે. આઠમા ઉદ્દેશામાં હાથી અને કંથવાના સમાન જીવનું, દસ સંજ્ઞાનું અને નરકનું વર્ણન છે, નવમા ઉદ્દેશામાં સાધુના વૈક્રિયનું, કોણિક અને ચેડા રાજાના સંગ્રામનું, શક્રેન્દ્ર કોણિક રાજાના મિત્ર, સંગ્રામમાં મરે તે દેવ કેવી રીતે થાય તેનું કથન છે, દસમા ઉદ્દેશામાં અન્યતીર્થીનું, પાપ પુણ્યનું, અગ્નિ સળગાવનાર કરતાં બુઝાવનાર અલ્પકર્મી, Jain Education International શ્રી જૈન તત્ત્વ સાર For Private & Personal Use Only ૧૦૭ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy