SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નવા મનુષ્યનો જન્મ થાઓ અર્ધસત્ય નવા સમાજની રચનાનું સ્વપ્ન મધુર છે. પ્રશ્ન થાય કે, નવા સમાજની રચના કોણ કરે ? શું જૂના માનવી નવા સમાજની રચના કરી શકવાના હતા ? માનવી જૂનો રહે અને સમાજ નવો રચાય, તે સંભવ નથી. નવા સમાજના નિર્માણ માટે નવા માનવીનો જન્મ થવો જરૂરી છે જ. સમાજવાદે નવા સમાજની કલ્પના કરી. એવો સમાજ, જેમાં પદાર્થ પર વ્યક્તિનો અધિકાર ન હોય ! કલ્પના સુખદ અને સુંદર છે. તેમ છતાં પ્રશ્ન એ થયો કે સમાજ-૨ચનાની કલ્પના કરવામાં આવી, પરંતુ વ્યક્તિ-રચનાની વાત વિસરાઈ ગઈ. વ્યક્તિ અને સમાજ બન્નેને એક સાથે રાખ્યા વગર કોઈ વાત પૂર્ણ ન બને. કોઇ એકની ઉપેક્ષાથી કોઈપણ કાર્ય સફળ નહીં થાય. પ્રશ્ન છે પદાર્થની આસક્તિ (મોહ) આપણી પાસે બે પરમ્પરિત પ્રણાલીઓ છે : સમાજવાદી પ્રણાલી અને લોકતંત્રીય પ્રણાલી. બંને પદાર્થનિષ્ઠ છે. આપણને એક એવી પ્રણાલીની જરૂર છે, જે પદાર્થથી પર ચિંતન કરી શકે. પદાર્થ પ્રત્યેની આસક્તિએ પ્રશ્નને વધારે પેચીદો બનાવ્યો છે. વિષમતા પેદા કરવામાં સહુથી મોટો હાથ રહેલો છે, આસક્તિ અને મૂચ્છનો. જેટલી આસક્તિ તેટલી વિષમતા અને જેટલી અનાસક્તિ તેટલી સમતા. સમાજવાદે એક નવી દિશા બતાવી કે પદાર્થ પદાર્થ છે, તેના પર કોઈ વ્યક્તિનો એકતરફી અધિકાર ન હોઈ શકે. પદાર્થ સમાજનો છે અને તેનો ઉપયોગ, સમાજના હિતમાં થઈ શકે. તેમાં એક હદ સુધી, અધ્યાત્મની ભાષા આવી ગઈ. પરંતુ આમાં માત્ર ભાષા હતી, હૃદય પરિવર્તન ન થયું. સિદ્ધાંત અને વ્યવસ્થાની સાથે હૃદયપરિવર્તનની પ્રક્રિયા થવી જોઈએ તે થઈ નથી. એના અભાવમાં વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ. આ લોકતંત્રઃ નવી વ્યક્તિ, નવો સમાજ ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy