SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદ થયો છે તેમાં, સેક્યુલરનો અર્થ પંથનિરપેક્ષ કરવામાં આવ્યો છે. લોકશાહી ઉપર કોઈ એક સંપ્રદાય અથવા પંથનું આધિપત્ય હોય, તો તે પોતાના લોકશાહી સ્વરૂપને સુરક્ષિત નથી રાખી શકાતું. તેથી લોકશાહી રાષ્ટ્ર સંપ્રદાય-નિરપેક્ષ હોવું અનિવાર્ય છે, સંપ્રદાય-નિરપેક્ષ હોવું તેનો અર્થ ધર્મનિરપેક્ષ, ધર્મહીન અથવા ધર્મવિરોધી હોવું તેવો નથી. કોઈપણ રાષ્ટ્ર જો કોઈપણ ધર્મ કે સંપ્રદાય દ્વારા સ્થાપિત હશે, તો પ્રજા સાથે ન્યાય નહીં થઈ શકે, પોતાના વિરોધી ધર્મોને અન્યાય થશે. સુકરાતને ઝેરનો પ્યાલો અપાયો, ગેલેલિયોને ફાંસી અપાઈ, ગાંધી અને માર્ટિન લ્યુથરકિંગની હત્યાઓ કરાઈ. સાંપ્રદાયિક કટ્ટરતામાં સહિષ્ણુતા નથી હોતી. તે પોતાનાથી અલગ વિચારસરણી નથી સ્વીકારી શકતી. તેથી એ વિચાર મનને આકર્ષિત કરે છે કે, “રાજનીતિ કોઈ વિશેષ સંપ્રદાયની માન્યતાઓ દ્વારા સંચાલિત ન હોય.' ૩. હિન્દુ ધર્મ આજે જે ભૂખંડનું નામ હિન્દુસ્તાન છે, પ્રાચીનકાળમાં તેનું નામ ભારતવર્ષ અથવા ભારત હતું. ઋષભપુત્ર ભરતના નામ ઉપરથી તેનું નામકરણ ભારત થયેલું. પારસ (વર્તમાન ઈરાન) વગેરે મધ્ય એશિયાઈ દેશોના સહવાસને કારણે એનું નામ હિન્દુદેશ પ્રચલિત થયું. આચાર્ય કાલકે કહ્યું, “આવો, હિન્દુ દેશ જઈએ.” - “એહિ હિન્દુકદેસ બચ્ચામો’ આ નિશિથચૂર્ણીનો પ્રયોગ છે. ભારતીય સાહિત્યના ઉલ્લેખમાં આ સહુથી પ્રાચીન છે. પારસી સમ્રાટ દારા મહાનું (છઠ્ઠી શતાબ્દી ઈ. પૂ.)ના અભિલેખોમાં સિન્ધ પ્રદેશો માટે હિન્દુ' શબ્દનો પ્રયોગ મળી આવે છે. જેમ રાજસ્થાન વગેરે કેટલાક પ્રદેશોમાં “સ'નું ઉચ્ચારણ “હ કરાય છે, તેવી જ રીતે પ્રાચીન ફારસીમાં પણ “સ'નું ઉચ્ચારણ હ’ થતું હતું. ફારસી લોકો “સપ્તસિંધુનું ઉચ્ચારણ હપ્તહિન્દુ કરતા હતા. મૂળ પ્રકૃતિ પ્રમાણે હિન્દુ શબ્દ દેશ અથવા રાષ્ટ્રનો સૂચક શબ્દ છે. તે કોઈ ધર્મ માટે વપરાયેલો નથી. ભારતવર્ષમાં ચિરકાળથી ધર્મની બે વિચારધારાઓ વહેતી રહી છે : શ્રમણ અને વૈદિક. શ્રમણ પરંપરાનો તંત્રદોર ક્ષત્રિયોના હાથમાં હતો. વૈદિક પરંપરાના સૂત્રધાર બ્રાહ્મણો હતા. સાંખ્ય, જૈન, બૌદ્ધ અને આજીવક- આ બધા શ્રમણ પરંપરાના ધર્મ છે. મીમાંસા, વેદાન્ત- આ વૈદિક પરંપરાના ધર્મ છે. હિન્દુ નામે કોઈ પ્રાચીન ધર્મ છે જ નહિ. મુસલમાનોના આગમન પછી હિન્દુ અને મુસ્લિમ એમ પક્ષ અને પ્રતિપક્ષ બની ગયા. પ્રાચીનકાળમાં શ્રમણ અને બ્રાહ્મણ પક્ષ-પ્રતિપક્ષમાં વહેંચાયેલા લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ | ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy