SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા | વિચાર-સંપ્રેષણનું સૌથી અધિક શક્તિશાળી અને વ્યાપક માધ્યમ છે : “શબ્દ”. સાચા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ક્રાંતિને જન્મ આપે છે. ખોટા અર્થમાં પ્રયોજાયેલો શબ્દ ભ્રાંતિ પેદા કરે છે. કેટલાક શબ્દોનો પ્રયોગ વ્યાપક સ્તરે ભ્રાંતિ પેદા કરે છે. જેમ કે : |રાજનીતિના સંદર્ભમાં ધર્મ | લોકતંત્રના સંદર્ભમાં ધર્મ-નિરપેક્ષ || વિધિના સંદર્ભમાં અલ્પસંખ્યક અને બહુસંખ્યક હિન્દુ ધર્મ T સર્વધર્મ સમભાવ (1) ધર્મ અને રાજનીતિ નીતિના ત્રણ વિભાગ પ્રાચીનકાળથી પ્રચલિત છે ? સમાજનીતિ, રાજનીતિ અને ધર્મનીતિ. આધુનિક સંદર્ભમાં ચોથો વિભાગ સંભવી શકે ? અર્થનીતિ. સમાજ, રાજ્ય, ધર્મ અને અર્થ - તમામ પોતાના નય (માગ) ઉપર ચાલે છે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, તેથી તેમને નીતિ કહેવામાં આવેલ છે. સમાજનીતિનું લક્ષ્ય છે : સંગઠિત શક્તિનો ઉપયોગ અને પારસ્પરિક વિકાસ. રાજનીતિનું લક્ષ્ય છેઃ પોતાના વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે સુરક્ષા, આજીવિકા, શિક્ષણ, દાક્તરી ચિકિત્સાની- વ્યવસ્થા, અપરાધોને અટકાવવા અને હિતોનું રક્ષણ કરવું. ધર્મનીતિનું લક્ષ્ય છે : પરમાર્થની ચેતનાને જગાડવી, આત્માને પરમાત્મા બનાવવાની દિશામાં પ્રસ્થાન કરાવવું અથવા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત કરવો, જોડવો. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy