SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય છે. તે છે ધર્માવિન્ત નૈતિકતા. તે ધર્મ અને અધ્યાત્મ સાથે સંકળાયેલ છે, તેનો મૂળાધાર પણ ધર્મ અને અધ્યાત્મ જ છે, તે શાશ્વત અને સામયિક બંને છે, પરંતુ જે સમાજ સંબદ્ધ નૈતિકતા છે, તે કેવળ વર્તમાન સાથે જોડાયેલી-હોય છે : "धर्मान्विता नैतिकता, भवेत् त्रिकालगोचरा । सैषा समाजसंबद्धा, वर्तमानपरायणा ॥" અધ્યાત્મ અને નૈતિકતા અણુવ્રતની સમગ્ર નૈતિકતા અધ્યાત્મમૂલક નૈતિકતા છે. જ્યાં બેનો સંબંધ જોડાય છે, ત્યાં નૈતિકતાનો પ્રશ્ન સામે આવે છે. જ્યારે બે (વ્યક્તિ) હોય ત્યારે માણસને પોતાનાં સારા અને ખરાબ પાસાંનો ખ્યાલ આવે છે. હું ક્યાં સાચું કહી રહ્યો છું અને ક્યાં ખોટું કહી રહ્યો છું એ જાણવાનો અવસર મળે છે. અધ્યાત્મમાં ભૂલ, ત્રુટિ, ગુણ, અવગુણ આ શબ્દ નથી હોતા. તેમાં તો આત્માનુશાસનનો અભ્યાસ ચાલે છે. અધ્યાત્મ ભાષાતીત છે. એનું તાત્પર્ય છે : “અધ્યાત્મ અને નૈતિકતાની પ્રકૃતિમાં કોઈ તફાવત નથી.” તફાવત પડે છે તેના પ્રયોગમાં. અધ્યાત્મનો પ્રયોગ બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં પ્રવેશવાનો પ્રયોગ છે, નૈતિકતાનો પ્રયોગ ભીતરમાંથી બહાર તરફ જવાનો પ્રયોગ છે. જ્યારે આપણી ધાર્મિક ભાવના બહારથી અંદરની તરફ વધવા માંડે છે, ત્યારે તે અધ્યાત્મ કહેવાય છે. જ્યારે ધાર્મિક ભાવના પ્રજ્વલિત થઈને, અંદરથી બહારની તરફ આગળ વધે છે, ત્યારે તે નૈતિકતાના નામે ઓળખાય છે. પ્રવૃત્તિમાં સામ્ય છે, પ્રયોગમાં નહીં. અણુવ્રત અધ્યાત્મ છે અને નૈતિકતા પણ છે જ. અણુવ્રતનો સંબંધ બંને સાથે છે, પરંતુ તેની સમક્ષ વ્યવહારનું ક્ષેત્ર વિશાળ છે. વ્યાવહારિક સ્વરૂપ આપણે વ્યાવહારિક સ્વરૂપને ઉદાહરણ દ્વારા સમજીએ. અહિંસા બિલકુલ આધ્યાત્મિક તત્ત્વ છે. બધા જ જીવો સાથે સમાનતાની અનુભૂતિ. અહિંસા અને સમાનતાને સાથે જોડીશું તો તેમની સાથે વ્યવહાર પણ જોડાશે. કહેવાય છે “પશુઓ ઉપર વધારે ભાર ન નાંખશો.” એને આપણે અધ્યાત્મ નહિ કહીએ. એ આપણી નૈતિકતા કહેવાય. કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરો, આજની ભાષામાં કહેવાય- શોષણ ન કરશો. શોષણ એટલે બીજાના સત્વને છીનવી લેવું. પ્રાચીન શબ્દ છે : વૃત્તિઓનું છેદન, આજનો શબ્દ છે : શોષણ. શોષણ વ્યવહાર સાથે જોડાયેલ છે. જ્યારે ધર્મ જીવન-વ્યવહારમાં ઊતરી આવે છે, જ્યારે તે ધર્મ નૈતિકતાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે ધર્મ પોતાની અંદર રહે છે, ત્યારે લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ D ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy