SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ છે વિશ્વની મૌલિક એકતાનો રાષ્ટની ભોગોલિક એકતાની ઉપયોગિતાને માન્ય રાખવા જતાં, વિશ્વની મૌલિક એકતાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. અહમ્ અને મહત્ત્વાકાંક્ષાનો સંઘર્ષ વિશ્વને એકસૂત્રતામાં બાંધતાં રોકે છે, અટકાવે છે. મનુષ્યની ચેતના એટલી દિવ્ય નથી બની કે તે સૌની સાથે ન્યાયપૂર્ણ અને સંતુલિત વ્યવહાર કરે. અને આ સ્થિતિ પણ ભૌગોલિક અને પ્રાદેશિક સીમાઓને અસ્તિત્વમાં રાખવાનું નિમિત્ત બની રહી છે. અહિંસક સમાજની રચના માટે ભૌગોલિક સીમાઓની સમાપ્તિ જ અનિવાર્ય શરત નથી જ. પરંતુ તેની અનવાર્ય શરત એ છે કે ભૌગોલિક સીમાઓ હોવા છતાં, માનવીય એકતાનો તાર તૂટે નહિ. અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ છે ઃ હૃદયપરિવર્તન અથવા માનસિક પ્રશિક્ષણ. હૃદય-પરિર્વતન માટે નિમ્ન નિર્દિષ્ટ સિદ્ધાંતો- સૂત્રોનું પ્રશિક્ષણ આવશ્યક છેઃ - હિંઅનારણો પરિણામ (૧) લોભ અધિકારની મનોવૃત્તિ. (૨) ભલા શસ્ત્રનિર્માણ અને શસ્ત્રપ્રયોગ. (૩) વેર-વિરોધ બદલાની ભાવના. છે ક્રોધ કલહપૂર્ણ સામુદાયિક જીવન. (૫) અહંકાર ધૃણા, જાતિભેદને કારણે આભડ-છેટ, રંગભેદ જાનતવિષ. (૬) કૂરતા શોષણ, હત્યા (૭) અસહિષ્ણુતા સાંપ્રદાયિક ઝઘડા. (૮) નિરપેક્ષ ચિંતન. આગ્રહપૂર્ણ મનોવૃત્તિ, બીજાઓના વિચારોને મહત્ત્વ નહિ આપવાની મનોવૃત્તિ. (નિરપેક્ષ વ્યવહાર સામુદાયિક જીવનમાં પારસ્પરિક અ-સહયોગ-ની મનોવૃત્તિ. આવા સંવેગો માનવીને હિંસક બનાવે છે. હૃદય-પરિવર્તનનો અર્થ છે ? આ સંવેગોનો પરિષ્કાર કરવો એના બદલે નવા સંસ્કારબીજ રોપવાં. મતિયપ્રશિક્ષણનાં સૂત્રો (૧) લોભનો અનુદય શરીર અને પદાર્થ પ્રત્યે અમૂચ્છ ભાવનું પ્રશિક્ષણ લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy