SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મૂર્તિપૂજા ડો. ગાંધી લખે છે કે – “અરિહંતના ગુણે કેળવવા એ જ પૂજા કરનારનું અને ભાવ સૂત્ર જ્ઞાન એટલે અનુભવ જ્ઞાનથી જ થાય છે. ધ્યેય છે અરિહંતનું નામ સૂત્રથી જાણીયે છીયે. આકાર મનુષ્પાકારથી જાણીયે છીયે. આત્મ દ્રવ્ય તથા ગુણે પણ સૂત્રથી જાણીયે છીયે, મૂર્તિના ખોટા આકાર અને દ્રવ્યની આપણું મનમાં સ્થાપના કરવાને બદલે મનુષ્પાકાર અને પિતાના જ આત્મ દ્રવ્યને મનથી ગ્રહણ કરવાથી કાર્યની સાર્થકતા મળી શકે છે.” સૂત્રમાં કહેલી શાસ્ત્રિય હકિકત કે ઈતિહાસમાં કહેલી ઈતિહાસિક હકિકત અને ભૂગોળ-ખળમાં કહેલી પૃથ્વી કે આકાશની હકિકત માત્ર શાસ્ત્રો-ઈતિહાસ-ભૂગોળ કે ખગોળનાં પુસ્તક વાંચવા સાંભળવા સાથે તે હકિકતને લગતી ચીતરેલી આકૃતિઓ પાસે રાખવાથી તે હકિકતે અંગે ખ્યાલ કે ભાવ વિશેષ પેદા થાય છે, તે તો દરેકને અનુભવ સિદ્ધ વિષય છે. ક્યાં ક્યાં ગામનદીઓ-પર્વતે કયાં ક્યાં આવ્યાં તે સંબંધી હકિકત શીખવા માટે વિદ્યાથીઓ માત્ર ભૂગેળનું પુસ્તક જ નહિ રાખતાં તેની સાથે તેના નકશા પાસે રાખે જ છે. અને નકશાથી જ સહેલાઈથી અને સારી રીતે સમજે છે. તે વિષયને લગતાં પુસ્તકોમાં પણ તે તે હકિકતો સાથે તે તે વિષયનાં ચિત્ર પણ આપે છે. પુસ્તકમાં લખેલ હકિકત ઓછા પશમવાળાને તુરત સમજણમાં નહિ આવતાં તે હકિકતના ચિત્રથી તુરત સમજી શકાય છે. તેવી રીતે અરિહંતના ગુણોનું ચિંતવન માત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy