SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ત્રપરિક્ષામાં છ-જીવ-નિકાયની-પૃથ્વી(કાય)જીવ, ઉદક(કાય)જીવ, અગ્નિ(કાય)જીવ, વનસ્પતિ(કાય)જીવ, ત્રસકાયજીવ અને વાયુ(કાય)જીવની-એક નવી વિચારસરણી જન્મી છે એવું જૈન ટીકાકારો અને તેઓને અનુસરીને જૈન દર્શનના દરેક સંશોધકો જણાવે છે, તે ભૂલભરેલું છે. જો કે ત્રસકાય જીવો વિષે ઉપર સ્પષ્ટતા કરી છે (F ૧.૧.૧.) અને વનસ્પતિકાય વિષે આગળ વિચારણા કરવામાં આવશે. દશવૈકાલિકના ચોથા અધ્યયનનાં ગદ્યસૂત્રોમાં ૩ વાર જીવનિકાય શબ્દને બદલે નીળિયા (જીવનિકા ‘‘જીવન નિર્વાહનું સાધન”) શબ્દ આવે છે. શૂીંગે તેની આવૃત્તિમાં આ બાબતની નોંધ લીધી છે (પૃ.૨૪૦), અને તેના મતને અમારા વિવેચનથી પુષ્ટિ મળે છે. આ ઉપરાંત, શૂીંગે સંશોધનોના આધારે જણાવ્યું છે કે શસ્ત્રપરિક્ષામાં કર્મસમારંભોનો મૂળ ક્રમ-પૃથ્વી (ઉદ્દેશ ૨), ઉદક (ઉદ્દેશ ૩), અગ્નિ (ઉદ્દેશ ૪), વાયુ (ઉદ્દેશ ૭), વનસ્પતિ (ઉદ્દેશ ૫), ત્રસકાય (ઉદ્દેશ • આ રીતે હોવો જોઈએ, જે શસ્ત્રપરિજ્ઞામાં અસ્તવ્યસ્ત થઈ ગયો છે ઉદ્દેશ ૭ (વાયુ) છેલ્લે મૂક્યો છે (જુઓ. શૂબીંગ-આચાર પૃ.૫૮ અને આવશ્યક ચૂર્ણિભાગ ૨, પૃ. ૩૦૨). - શસ્ત્રપરિજ્ઞામાં આત્મા શબ્દ ઉપનિષદોની વિચારધારામાંથી અપનાવ્યો હોય એમ લાગે છે. જો કે શસ્ત્રપરિજ્ઞાના આ પ્રાચીન અધ્યયનમાંથી જીવ અને આત્મા શબ્દ વચ્ચેનો કાંઈ ભેદ સ્પષ્ટ થતો નથી. વળી, અહીં પ્રાણ શબ્દ જીવના અર્થમાં આવ્યો છે, જ્યારે આખા બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં પ્રાણી (પ્રાણવાળો = જીવ) શબ્દ ફક્ત એક જ વાર (નો પાળિળ પાળે સમારમેષ્નાસિ ૩.૨.૧૨૧ પ્રાણીઓના પ્રાણની હિંસા ન કરે ! સમારમેષ્નાસિ માટે જુઓ પિશેલ § ૪૬૦) આવે છે. પ્રાણ શબ્દનો વિશિષ્ટ અર્થ પહેલાં જીવ થતો હતો, તે બદલાઈને અહીં સામાન્ય પ્રાણી જેવા અર્થમાં રૂઢ થયો છે. ઉપર્યુક્ત સૂત્ર ૩.૨.૧૨૧ અહીં ઉલ્લેખ પામેલા ત્રિષ્ટુભ શ્લોકોની એક પંક્તિ છે (શૂબ્રીંગઆચાર પૃ. ૧૫.૫૪). શસ્ત્રપરિજ્ઞાની પરિભાષામાં સ સ્પર્શ અને ડિસંવેદ્યત્તિ / ટૂંકમાં વેદના જેવા અગત્યના શબ્દો જોવા મળે છે, જે પ્રાચીન ઔપનિષદ વિચારધારામાંથી પ્રચલિત થયા છે (જુઓ, ફ્રાઉવાલ્નરની વિસ્તૃત ચર્ચા. I. પૃ. ૧૧થી, તથા આલ્સદોર્ફ ઇત્યિપરિન્ના ૧.૨૮ ૫૨ વિવેચન KI. Sch., પૃ. ૨૧૦-૨૧૧). આ બધાં વિવેચનોના આધારે એમ કહી શકાય કે પ્રાચીન જૈન વિચારધારામાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ જેવાં તત્ત્વોને જીવંત ગણવામાં આવતાં નહોતાં, પણ ફક્ત વનસ્પતિ જ જીવંત છે એમ મનાતું. તેથી શસ્ત્રપરિક્ષા અધ્યયનના પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિશસ્ત્રનું વર્ણન વિશિષ્ટ પ્રકારનું છે. તેની તથા યાસ્કના નિરુકતની અહીં તુલના કરવાથી તે સ્પષ્ટ થશે. નિરુકત ૧.૨ જણાવે છે કેઃ ષડ્ માવવિશ્વારા મવન્તીતિ વાર્ષ્યાળ:, ખાયતેઽસ્તિ વિરિણમતે વર્થતંઽપક્ષીયતે વિનશ્યતિ । પતંજલિએ પણ તેના મહાભાષ્યમાં (૧.૩.૧.૧૧) આનો ઉલ્લેખ કર્યો છે. આ છ ભાવિવકારોને શસ્ત્રપરિજ્ઞાના વનસ્પતિશસ્ત્ર સાથે આ પ્રમાણે સરખાવી શકાયઃ નિરુકત ૧.૨ (વાર્ષ્યાયણિ) નાયતે, મસ્તિ, विपरिणमते, १ २ ३ ४ વયંતે, अपक्षीयते, विनश्यति, Jain Educationa International શસ્ત્રપરિજ્ઞા ૫.૪૫ जातिधम्मयं ? विपरिणामधम्मयं चयोवचइयं वुड्ढधम्मयं - छिण्णं मिलाति ६ अणितियं, असासयं પાંચમા ઉદ્દેશમાં વનસ્પતિ જીવંત છે તેવું સ્પષ્ટ વર્ણન થયું છે, અને તે પર છ ભાવિકારોના વિચારની અસર થઈ છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં વનસ્પતિ જીવંત છે તેમ મનાતું હતું (જુઓ વેઝ્યુર ૧૯૮૬, વાલ્હેર સ્લાય્; Bewusstsein und Wahrnehmungsvermoegen von Pflanzen aus hinduistischer Sicht - હિંદુ દૃષ્ટિએ વનસ્પતિનાં અંતઃકરણ અને ઇંદ્રિયપ્રત્યક્ષની ક્ષમતા, ગ્રાઝ ૧૯૮૯ પૃ. ૧૪૭-૧૬૯). વનસ્પતિને કાપવામાં ૬ ] [ સામીપ્ય ઃ એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy