SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આનું કારણ લોકરિચય જણાવે છે કે તે કુશળ મેધાવી અહિંસાના ક્ષેત્રને જાણનાર - ક્ષેત્રજ્ઞ - અને બંધમોક્ષનો વિવેક કરનાર - અન્વેષણ કરનાર - જ્ઞાની, નથી બદ્ધ કે નથી મુક્ત (તે અનુપાતિક્ષ્ણ રતને વિંધપમોવરમાણેલી, કુસલે પુખ વધે મુદ્દે ૨.૬.૧૦૪). હું ૧.૩ આચાર - બ્રહ્મચર્ય - શીતોષ્ણીય (આચાર-૩, ઉદ્દેશો ૧-૪) શીતોષ્ણીય અધ્યયનનું નામ સબસિવાળી (શીત અને ઉષ્ણનો – સુખ અને દુઃખનો ત્યાગ કરનાર; ૩.૧.૧૦૭) જેવા શબ્દો ઉપરથી આવ્યું છે. આ અધ્યયનમાં પણ શસ્ત્રપરિજ્ઞાના વિચારોનું પુનરાવર્તન થયું છે. તેના વિશિષ્ટ વિચારો સંક્ષેપમાં અહીં જણાવીએ છીએ. ધર્મની બાબતમાં લોકો - અમુનિ - સૂતા (બેદરકાર) હોય છે, પણ મુનિઓ સતત જાગતા હોય છે (સુરા અમુનિ, મુfroો સાથે નીતિ ૩.૧.૧૦૫, સરખાવો :- નિશા સર્વભૂતાનાં તસ્યાં ના if સંયની. જે સર્વ પ્રાણીઓની રાત છે તેમાં સંયમી જાગતો હોય છે...ગીતા ૨.૬૯ મુનાતિ, જે જાણે છે તે મુનિ સુત્તનિપાત પ૨૭). જેણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જાણ્યા છે તે આત્મવિદ - વેદવિદ - બ્રહ્મવિદ છે (પાઠાંતર - વિદને બદલે - વાન વળી સરખાવો આચાર ૪.૪.૧૪૫ અને તે વાણિમિતિ સ બ્રહ્મવિતું – વૈવિ -- આત્મવિતું...બહદારણ્યક ઉપનિષદ, ૩.૭.૧). ઋજુ અને ધર્મવિદ મુનિ આવર્તસ્રત (આવાગમનનો પ્રવાહ) અને સંગ જાણે છે. શીત અને ઉષ્ણને ત્યાગ કરનાર - રતિઅરતિ (સુખ દુ:ખ) સહન કરનાર તે નિગ્રંથને (ગ્રંથ-બંધનરહિત) સ્પર્શવેદના હોતાં નથી. આમ તે મુક્ત બને છે (૩.૧,૧૦૭). શબ્દ, રૂપ, ઇત્યાદિની ઉપેક્ષા કરનાર . મરણમાંથી છૂટી જાય છે (૩વેદમાણે સદ્દવે...મરા મુવૅ ૩.૧.૧૦૮). તે કામરહિત, અપ્રમાદી, પાપકર્મોથી ઉપશાંત, આત્મગુપ્ત, વીર અને ક્ષેત્રજ્ઞ૧૨ છે (ઉ.૧.૧૦૯). અકર્મને વ્યવહાર હોતો નથી (સરખાવો - સૂત્રકૃતાંગ I. ૨.૫,૩,૫,૭,૧૧,પ૦), કર્મથી ઉપાધિ જન્મે છે (અમૂલ્ય વૈવહારો ને વિન, મુળા વાણી નાયડુ ૩.૧.૧ ૧૦). આમ, કર્મ કે કર્મનું મૂળ હિંસા છે તેમ જાણી – ગ્રહણ કરી, જન્મમરણની ગતિ-આગતિની) બે અંતિમ બાજુઓથી અદશ્ય (પર) થઈ સંસારત્યાગ કરવો (૩.૧,૧૧૧, સરખાવો. ૩.૩.૧૨૩). આવા સંદર્ભમાં ધીર પુરુષને નૈષ્કર્ખદર્શી (fઇમ્પિરિંક્ષી ૩.૨.૧૧૫, ૪.૪.૧૪૫, સરખાવો ગીતા ૩.૪,૧૮.૪૯), અને ઉપશાંત (૩.૨.૧૧૬) કહ્યો છે, તથા સત્યમાં જ , ધૃતિ રાખવા જણાવ્યું છે (સર્વામિ fધરું બ્રહ. ૩.૨.૧૧૭). આગળ જતાં, સત્યને જ ઓળખવા આદેશ આપ્યો છે અને સત્યની આજ્ઞામાં રહેવાની તે મેધાવી મૃત્યુ તરી જાય છે તેમ જણાવ્યું છે (સંવમેવ સમfમનાદિ ! સન્વેસ્સ બTU ૩ટ્ટિ મેહાવી મા તરરૂ. ૩.૩.૧૨૭). અહીંયાં જૈનોના વ્રત તરીકે સત્યનું વિધાન થયું નથી. પણ તેનું એક પરમ તત્ત્વ તરીકે વિધાન થયું છે (વળી, જુઓ આચાર ૪.૪.૧૪૬). લોક-સંધિ (સાંસારિક-બંધન સંધિ જાણીને આત્મામાંથી બહાર જોવું જોઈએ. તેમ થતાં, તે ન હણનાર છે કે ન હણાવનાર (સંધ નો ગાળી ઝીયો વરિયા પાસે; તખ્તી ન હંતા ન રવિ પાયા ૩.૩.૧૨૨ = ૫.૫.૧૭૦, જુઓ ઉપર હું ૧.૨ અને આગળ હું ૧.૫; સંધિ = “સતત ચિંતન” સર્વત્ર આત્મરૂપે આચરવું જોઈએ એવું આ સંદર્ભમાં શીલાંક જણાવે છે (સર્વત્ર - માત્મપર્વે સમારે..શીલાંક આચાર પૃ. ૧૧૦, સરખાવો-આચાર-ચૂર્ણિ પૃ.૧૧૮). સૂત્રકૃતાંગ I.૨.૩.૧૨ (સા-તુત્તે પહિં સંન, જુઓ બોલે H. પૃ.૭૭૭૮) અને 1 ૧૨.૧૮ (તે બાબો પાસ; સબૂનો, જુઓ હૃ.૩) પણ સર્વત્ર આત્મરૂપે જોવાનું જણાવે છે. દશવૈકાલિક તો સ્પષ્ટ જણાવે છે કે સન્નપૂMPયસ નું મૂયા પાસો...પર્વ મ ન વંધક્ (સર્વે પ્રાણીઓ તેના આત્મરૂપ થયાં છે તેવાને,-પ્રાણીઓને સમ્યફ જોનારને...પાપકર્મ બાંધતું નથી. ૪.૯). ઈશ ઉપનિષદ પણ કહે છે કે વસ્તુ સર્વાળિ મૂતાન્યાત્મચેવાનુપતિ, સર્વભૂતેષુ માત્માનં તતો ન વિષ્ણુપુખતે જે કોઈ સર્વ પ્રાણીઓને પોતાનામાં અને સર્વ પ્રાણીઓમાં પોતાને જુએ છે, તેનાથી તે-આત્મા-છુપાવવા ઇચ્છતો નથી. એટલે કે તેને ૧૦ ] | [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy