SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન પૂજારી બંને : - [ ૨૧૧ ફાંફાં હેવાથી આર્તીદ્રધ્યાન નડ્યા કરે છે. તે દુઃખે દૂર કરવામાં આવે તે સામાયિક વિગેરે બધી કર્મકરણી કઈ જુદી જ થાય. મહારાજ તે એની મર્યાદામાં રહીને કહે. એમની પાસે એમની મર્યાદા બહારની વાત ન કહેવડાવાય. ધનવાન શ્રાવકોએ હાલમાં સાધમ એનાં દુઃખ દૂર કરવાની પહેલી જરૂર છે. અને માટે જે હેમચંદ્રસૂરિએ કુમારપાળ પાસે પાનકોરાના કાપડની માગણી કરી હતી. આજે ક્રિશ્ચિથનેની વસતી ૭ કરેલ છે અને આપણે ક્યાં છીએ તે પણ વિચારવાનું છે. દસ મિનિટ સુધી ગળગળા થઈને જુસ્સાદાર ભાષામાં લાલન બેલ્યા.' ત્યારબાદ મહારાજાએ કહ્યું કે કોઈ માણસના આવેશથી, દેખાવથી, ગળગળા ઉદ્ગારોથી લેવાઈ જતાં ન શીખે. વસ્તુને બરાબર સમજે. ઝેર આપનારે અણઘડ હોય તો સીધું પડીકામાં આપે ને જ હોંશિયાર હોય તે દૂધમાં ભેળવીને આપે. સત્ય ગ્રહણ કરતાં એમાં અસત્યનું વિષ ન ભળે એની ખાતરી કરો કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે કરેલી વાત અધૂરી અને ઉપજાવી કાઢેલી છે, છતાં એ વાત મૂકીને સામાન્ય જનતા આખી ભીંત ભૂલી જાય એમ કરવામાં આવે છે. લાલન સાધુની મર્યાદા ઉપર ભાર મૂકે છે પણ એનું સ્પષ્ટીકરણ કરતા નથી. સ્વાથી વકીલમાં એ ખામી હોય છે કે એ પિતાને બચાવ કરવા સારા કે બેટાના વિચાર વિના અસીલનું ગાણું ગાય. એવા વકીલને કાયદો જ એ કે જજને મૂંઝવણમાં મૂકવા. ગુનેગારને પણ એ વકીલ એમ ન કહે કે તું ગુનેગાર છે, પણ એમ કહે કે ફીકર નહિ, પિસા લાવને ! તું જેજે તે ખરે કે હું કેવા જોરશોરથી બેલીને જજને પણ ફેરવી નાખું છું? જજ બેય પાટીના વકીલના બચાવ સાંભળી સીધે ન્યાય આપે. એક જ કાયદાના વેગે વાદી પ્રતિવાદી બેય લડે પણ એક જ કાયદાથી એક બચાવ માગે અને બીજે શિક્ષા કરાવવા માગે. સાચો વકીલ તે એનું નામ કે જે જજને રસ્તે સીધા કરે. વડોદરાના એક વકીલના અવસાન પછી એના શેકની સભામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005280
Book TitleJivan Safalya Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1979
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy