SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગજ રોકાઈ જાય. પેટાજીવન એવું સુસંગત હેવું જોઈએ કે જેને મહા જીવન સાથે બરાબર મેળ બેસતે હેય,એ આદર્શ તરફ ખ્યાલ રાખીને પેટાજીવનની કેટલીક અવ્યવસ્થા ભલે એવી હેય કે જે અનિવાર્ય હેઈન–મહાજીવનને બાધક ન થતી હેયતેથી તે ચલાવી લેવી. એટલે ખરી રીતે તો તે અવ્યવસ્થા પણ મહાવ્યથાનું અંગ બનતી હોય ત્યાં સુધી વ્યવરાજ ગણાય. અને વ્યવરથી પણ જે મહાવ્યવરથાને રેધક થતી હોય, તો તે વાસ્તવિક રીતે અવ્યવસ્થા જ ગણાય. આ સિદ્ધાંત પ્રમાણે, આપણે ચાલુ પેટા જીવનમાં, પેટાજીવન અનેક રીતે જીવતાં છતાં મહા જીવન સાથે મેળ કેમ ચાલુ રાખી શકાય? તેની સાથે બંધ બેસતું કેમ કરી શકાય? તે સમજાવવાનો આ ગ્રંથમાં આશય છે. અને એજ આ ગ્રંથને મુખ્ય સળંગવિષય છે. ઉ પ સં હા રક અનાદિ-અનન્ત આ વિશ્વ સદાકાળ [નિત્ય) વિદ્યમાન [ સત] છે. છતાં તે પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે, માટે જ તે જગતું [વારવાર પરિવર્તને તરફ અત્યન્ત નિરંતર જનારું ) કહેવાય છે. વિશ્વની ઘટનામાં ગોઠવાયેલા મુખ્ય મુખ્ય સકળ પદાર્થોનાં, તેના પેટા વિભાગમાં–કે તેના પરિણામે રૂપ પદાર્થોમાં પ્રત્યેક ક્ષણે સદાકાળ પરિવર્તને ચાલ્યા જ કરે છે, એટલે કે – પ્રત્યેક ક્ષણે આખા વિશ્વમાં અનંત પરિવર્તન થાય છે. તેમજ પ્રત્યેક પદાર્થમાં ત્રણેય કાળે અનંત પરિવર્તન થાય છે. પર્યાયને બદલે પરિવર્તન શબ્દ, અને દ્રવ્યને બદલે પદાર્થ શબ્દ સામાન્ય વાચકોની સરળતા ખાતર વાપર્યા છે. પરિવર્તને બે જાતના હોય છે --ઉત્પાદ અને વ્યય એટલે કે ઉત્પત્તિ અને નાશ. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy