SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી પ્રશ્ન વિષે ખુલાસે મેળવાવા સંકેચાવાની જરૂર નથી. પ્રશ્ન એ થાય છે કે–પતન અને વિકાસના પરિણામે રૂપ જુદા જુદા મોટા પતન અને વિકાસ શોધવા, તેના પણ પરિણામરૂપ બીજા પરિણામે શોધવા. અને એમ શોધતાં શોધતાં ઠેઠ અંતિમ મહાપરિણામ સુધી પહોંચવું, અને એમ કરતાં પણ છેવટે ક્યાંક અટકવાનું તે રણુંજ, તે પછી પહેલેથી જ કેમ ન અટક્યું? બસ, પરિણામેના પરિણામે જ ન શોધવા. અને શેધવા, તે-છેવટે મહાપરિણામ સુધી જઈને કલ્પના અટકાવી ન દેવી. કારણ કે – મહા પરિણામો વિષે આપણે કશું જાણતા નથી. માત્ર અવાન્તર પરિણામે ઉપરથી જ અનુમાન કરીને તેની કલ્પના કરવી પડે છે. તો પછી એ નિર્ણય ઉપર કેમ ન આવવું? કે – ૧ પરિણામના પરિણામે જ નથી. કાર્ય-કારણભાવની એવી કઈ સાંકળજ નથી. " અથવા તે૨ પરિણામના પરિણામને છેડા જ નથી. કેઈ અન્તિમ મહાપરિણામ જ નથી. એટલે કે પરિણામેના પરિણામે અને તેના પરિણામ અવધિ વગરના જ છે. તેને કોઈ ચોક્કસ અંત છે જ નહી. જગતમાં કોઈ પણ બાબતનો અંતજ નથી, એમ ને એમ ગોળમટોળ રીતે અનિણત ધોરણે વિશ્વમાં ઉત્થલ પાથલ થયા જ કરે છે. પણ તેના અંત જેવું કાંઈ નથી. એજ અનિર્ણત ધરણે કઈ વખત કાંઈ પરિણામ જણાય છે, ને કઈ વખત બીજું જ કાંઈ પરિણામ જણાય છે. અમુક પરિણામનું અમુકજ એક ચોક્કસ પરિણામ છે, એવું કોઈ ચોક્કસ ધોરણ નથી. તમારી શંકા બરાબર છે, પરંતુ આ વિષયમાં ઘણાં સૂમત સમજવાના હોવાથી એકાએક ખુલાસો સમજી શકાશે નહી. તે પણ સાંભળ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy