SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ અજ્ઞાન કે વ્યામોહને લીધે જાણતા અજાણતાં ઉન્માર્ગે ચડી જાય છે. તેઓને ઘણું જ નુકશાન થાય છે. તેવી જ રીતે, જેઓ સંજોગવશથી ઉન્માર્ગે ચડી ગયેલા હોય, છતાં જે તેઓને સત્ય સમજાવવામાં આવે, તો તેઓ પણ સન્માર્ગ તરફ વળવાની યોગ્યતા કે તત્પરતા ધરાવી શકે તેમ હોય, પરંતુ સમજાવનારને અભાવે, તેઓ બિચારા તે લાભથી વંચિત રહે છે. એ તેઓને નુકશાન થાય છે. એક તે અજ્ઞાન દશા, તથા દિવસે ને દિવસે વ્યામોહ અને બુદ્ધિભેદના વધતા જતા અનેક કારણ સંજોગો, અને તેમાંથી સત્ય જાણવા તલપતું જિજ્ઞાસુઓનું મન : આ સ્થિતિમાં સત્ય-પ્રકાશ યુક્ત દીવાદાંડી ઉભી કરવામાં ન આવે, તે-ઘણાયે બિચારા બાળજીના જીવન–હાણ ભયંકર ખડક સાથે અથડાઈ, તેના ચૂરેચૂરા ઉડી જાય; અથવા તો વમળની ભ્રમણાઓમાં પડી ક્યાંયને ક્યાંય ગુમ થઈ જાય, અથવા તે જાજવલ્યમાન વડવાનળના મુખમાં પડી, ભરમીભૂત થઈ જાય; ખરાબે ચડ્યા પછી વહાણની શી દશા થાય, તેમેણ કહી શકે? - જો તમે ખરેખરી જિજ્ઞાસાવૃત્તિથી જાણવા ઈચ્છતા હે, તમને ખરેખરી તાલાવેલી લાગી હોય, તે અમારી ફરજ છે કે –જિજ્ઞાસુએની જિજ્ઞાસાવૃત્તિ યથાશક્તિ તૃપ્ત કરવી, પિષવી, સંતોષવી અને તેને માટે એગ્ય માર્ગ બતાવ. તે વિષેને પરિશ્રમ ધ્યાનમાં લીધા વિના જ એ કર્તવ્ય બજાવવું, એ અમારું પરમ કર્તવ્ય છે. પરંતુ માત્ર ખાલી પ્રશ્ન કરી અમારો વખતજ લેવો હોય, તે કદાચ તમને પિતાને ખાસ ફાયદે નહીં થાય, માટે સાચી તાલાવેલી જાગી હશે, તેજ અમારે અને તમારે બનેને પ્રયત્ન સફળ થશે. અને તે જ આપણે કાંઈપણ તાત્ત્વિક માર્ગની શોધ હાથ કરી શકીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy