SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શકે, અમુક લાગવગવાળે મત આપી શકે, એવા એવા ફરતા ફરતા ધોરણે રાખવામાં આવે છે. તેથી ઘણા માણસોના મતાધિકાર માર્યા જાય છે. ત્યારે પ્રાચીન બંધારણમાં તે તે સંસ્થાની કઈ પણ માનવવ્યક્તિ સભ્ય તરીક મત આપી શકે છે. બાળકે, સ્ત્રીઓ, વૃદ્ધો અને અપંગને પણ માતાધિકાર છે. એ મતાધિકારની રૂએજ પ્રતિનિધિત્વ ગોઠવાયેલું છે. પ્રતિનિધિ પિતાના હિતની વિરુદ્ધ જ હેય, તે, વ્યક્તિને મતાધિકાર હોવાથી પિતાને વિરોધ જાહેર કરી શકે છે, પિતા કુટુંબનો પ્રતિનિધિ છતાં બાળકના હિતથી વિરુદ્ધ જાય છે, એમ બાળને લાગે અને તે પોતાનો અવાજ મૂકે, તે તે સાંભળવામાં અને ધ્યાનમાં લેવામાં આવે છે. ઇત્યાદિ.] સત્યનિર્ણયમાં બહુમતી કરતાં સર્વાનુમતી વધારે સાચી પદ્ધતિ છે, ત્યારે બહુમતી એકદેશીય પદ્ધતિ છે. એક વ્યક્તિને પણ સત્યનિર્ણય હોઈ શકે– સુધારા વધારાવાળો અંતિમ નિર્ણય જ્યારે સર્વાનુમતે થાય ત્યારે જ તે ઠરાવ સારો ગણાય. તેમાં મતભેદ પડે તે તેને નિર્ણય અને ચર્ચા ચાલે, એ ઠરાવ પડતો મૂકાય, અથવા ખાસ જરૂર હોય અને કેઈપણ ઉપાયે એક મત ન થવાય, તે બે પક્ષ પડે, બન્નેને જીવવાનો અધિકાર રહી શકે, બેમાંથી એકમાં પણ સત્ય હોય તો તેને ક્ષતિ ન લાગે. બહુમતીવાદમાં લઘુમતીને પક્ષ સત્ય હોય તે પણ તેણે છેડી દેવો પડે છે. સર્વાનુમતી ધોરણમાં ઘણું ઠરાવો થઈ શકે નહીં, પરંતુ ખાસ જરૂરી, અમલ કરવા શક્ય, સર્વ સમ્મત, ઠરાજ થઈ શકે, અને તે કેવળ કાગળ પર ન રહી જતાં અમલમાં આવવા જ જોઈએ. કામ ચલાવવાની સાદી અને સત્યનિર્ણાયક વાદવિવાદ પદ્ધતિ હોય છે, જ્યારે એ સંસ્થાના સભ્ય મળે ત્યારે ઘણી વખત જાય છે, ઘોંઘાટ થાય છે, કેઇને બેલતા રોકવામાં આવે છે, કઈ બહુ બેલી નાખે છે. કલાકેના કલાકો સુધી ચર્ચા ચલાવ્યા પછી પણ નિર્ણય ઉપર આવી શકાય નહીં, વિગેરે જેઈને કેટલાક ભાઈઓ “માત્ર તફાન અને બૂમબરાડા પાડવા એકઠા થાય છે. એવું તત્ત્વ ર૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy