SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ રચેલા, તે પ્રકીર્ણને નામે ઓળખાય છે. તેમાંના કેટલાક ખુદ મહાવીર સ્વામીના સમયના અને કેટલાક તેમની પછીના યે છે. ઉત્તરાધ્યન સૂત્રો તથા દશવૈકાલિક તે તેઓના સંગ્રાહક અને કર્તાની મૂળકૃતિ રૂપેજ અદ્યાપિ ઉતરી આવ્યા છે. આમ છતાં પાછળથી-ઉદ્દત એવા પણ ઘણા આગમ ગ્રંથને વિચ્છેદ ગમે છે. તે પણ હાલ મળી આવતા આગામેની સંખ્યા નીચે પ્રમાણે છે, ૧૧ અંગે, ૧૨ ઉપાંગો, ૧૦ પન્ના, ૬ કેદ, ૨ સૂત્ર, ૪ મૂળ=૪૫. ઉપરાંત, એ આગ ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચુર્ણિ, અને વૃત્તિએરૂપ ગ્રંથ છે. તે, અને મૂળઆગામે મળીને પંચાંગી ગણાય છે, તે પણ આગમ ગ્રંથની જેમજ પ્રામાણિક માનવામાં આવે છે, તે ઉપરાંત અનુભવની નેધ, પરંપરાથી ચાલતી આવતી જૈન ધર્મ માન્ય ગણેલી ધણી હકીકતે, અને બીજું અનેક પ્રકારનું તદનુયાયિ સાહિત્ય મળી આવે છે. આમ જોતાં-ઘણે ભાગ પૂર્વકાળમાં ને કેટલેક ભાગ થોડા સૈકા પહેલાં વિચ્છેદ જવા છતાં જૈન સાહિત્યને ઘણેજ વિશાળ સંગ્રહ મળી આવે છે. [ આ બાબત ભારતીય સંશોધન પદ્ધતિથી, રચનાત્મક દૃષ્ટિથી અને શુદ્ધ ઐતિહાસિક સાધનોનો ઉપયોગ કરીને દરેક આગ, તેના પંચાંગ તથા તેમાંના વિષયે, લુપ્ત ભાગ. અવશિષ્ટ ભાગ, અન્ય સાથે અનુસંધાને, વાચનાઓની અસરો વિગેરે વ્યવસ્થિત શોધવાના પ્રયત્નની આવશ્યક્તા છે. જે એક ઘણે જ સબળ અને ભગીરથ પ્રયત્ન ગણાય. પરંતુ શુદ્ધ સાધનેથી હાલ થઈ શકે, કેટલે શક્ય છે? એ વિચારણીય પ્રશ્ન છે. ] છતાં આ વિશાળ માનવસાગરમાંથી જે જે માને ગમે તેવા ભોગ આપીને આજ સુધી તેને બચાવ કરતા આવ્યા છે, ને એ ભારવહન કરતાં કરતાં આજસુધી ટકાવી રાખી, આગળ પણ ટકી ૨પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy