SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ લઇને આ અથડામણીના પ્રવાહમાં ભેગું ભળી ગયું છે. વળી હાલની સંરકૃતિના વિચાર વાતાવરણની છાયામાં આવી ગયેલે વર્ગ સાધુ સંસ્થાની જરૂરીઆત વિષે ભ્રમણામાં પડેલે છે. કેમકે એ સંસ્કૃતિની દૃષ્ટિ તેઓને બીન જરૂરીઆતના દિગ્યેય તરફ લલચાવી જાય છે. આ માનસિક પરિવર્તન પણ, જૈન ધર્મની સાથે બંધારણથી અને હાર્દિક પ્રેમથી બંધાયેલાઓના મન પણ અમૂક વખત માટે વધારે પડતાં ક્ષુબ્ધ કરી મૂકી, તેની સામે ઉશ્કેરે છે. [ વળી ધર્મો અને સમાજે ઉપર રાજ્ય સત્તા અંકુશ મૂકવાના રાજ્યદ્વારી ધેરણ—કે જે પિતાના કાર્યક્ષેત્રની બહાર છે–ઉપર આવી હોય તેમ હાલના વાતાવરણ ઉપરથી સમજાય છે. ધર્મો અને સમાજો વચ્ચે ન પડવું એ બ્રીટીશ કે કોઈપણ રાજ્ય સંસ્થાની સ દાની પોલીસીમાં કાંઈક પલટો આવ્યા લાગે છે. અલબત્ત, તેને માટે નિમિત્તે મેળવી લેવાતા હશે. પરંતુ નિમિત્ત હોય, તો પણ ન પડવું હોય તે ન પડાય, અને પડવું હોય તે પડાય. આ પરિસ્થિતિ ઉપરથી આધુનિક સંસ્કૃતિના ધરણપર રચાયેલી રાજ્ય સંસ્થાઓને પણ જે સંસ્કૃતિને આગળ વધારવી હોય, તો તેની આડે આવનાર ભારતીય ધર્મો અને સંસ્કૃતિના તત્ત્વોને ઘસારે આપ જોઈએ. અને તેમ કરવા માટે, પ્રથમ અંકુશ, અને પછી હેજ ઘસારે, એમ રફતે રફતે ઠેઠ અંદરના ગર્ભમાં પણ છેવટે આગળ વધી શકાય. બન્ને પક્ષોને અમૂક બાબતમાં રાજી રખાય, અમુક બાબતમાં ઠેકર પણ લગાવાય, તથા અનિવાર્ય સંજોગોમાં અમારે આમ કરવું પડયું છે, એમ તટસ્થને જણાવી શકાય. તેથી મુનિસંસ્થાના પ્રવેશદ્વાર ઉપર અંકુશ મૂકવો, એ તેઓને માટે વધારે સચોટ કાર્યસાધક છે. વળી તે પહેલ દેશી રાજ્યદ્વારા થાય, એટલે ખાસ વાંધો કેણ લઈ શકે છે તેથી રાજ્યસત્તા આમ કરવા લલચાય. આ મુદ્દો ઘણું વખતથી ગર્ભિત રીતે તે હજ, ત્યારે તક આવ્યું કેમ જ. કરાય? તેથી પણ ઘાટ અને પરસ્પરના વિરોધના વાતાવરણને વધારે ભભૂકવા કારણ મળે, એ સ્વાભાવિક છે. આમ અનેક કારણોને લીધે આ આખી પરિસ્થિતિનું બે સંસ્કૃતિની અગમ્ય અથડામણ મુખ્ય કારણ છે, એ સાર છે. પણ તે જૈનમુનિ સંસ્થાના રચનાત્મક પ્રભાવ આગળ વાસ્તવિકમાં નજીવું જ છે. વળી પહેલી ગોળમેજીના ઉપસંહારના ભાષણ વખતે વડા પ્રધાને ધાર્મિક લડાઈમાં શાંતિ થવાની આશા રાખી છે. તેથી પણ હવે તેને અંત આવી ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy