SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ધણું પણ તેને સ્થાન આપવું પડે છે. તે ઉપરથી એટલુ તા કબૂલજ કરવું પડે છે, કે તેણે જગમાં ચોક્કસ કાંઈપણ સ્થાન જમાવ્યું છે. ત્યારે વૈશ્વિક દર્શન પેાતાના વ્યાવહારિક અને સામાજિક સંગઠનને અંગે તથા કેટલેક અંશે . આધ્યાત્મિક જીવનને અગે ભારતમાં ટકી શકેલ છે. અને તે ટકાવમાં બ્રાહ્મણુ વર્ગના ભારે હાય છે; અસાધારણ જહેમત છે, અસાધારણ સેવા તથા અસાધારણ ભાગા છે. માટી સંખ્યા જાણ્યે અજાણ્યે અતુલ પ્રયત્નો સેવી રહી છે, અને સેવતી આવી છે, એમ નિર્વિવાદ કબૂલ કરવુંજ પડે છે. તાપણ ચેાડી સંખ્યાના જૈન શ્રમણેા પેાતાના એટલા બધા પુરુષાર્થ પાયરતા હતા અને પાથરે છે કેઃ—જેથી તેએ તેવી માટી અને સંગઠિત પ્રજામાં પણ પેાતાનું સર્વોપરિપણું ઝળકાવી રહેલા છે. જૈન દર્શનમાં અને જીવનમાં રહેજ ઉંડા ઉતરીને તપાસીશું તે ડગલે ને પગલે આધ્યાત્મિકતા અને સંસ્કારિતા તરી આવ્યા વિના રહેશે નહીં. તેના કાઇપણ વિધાનમાં અહિંસા અને સયમના દૃષ્ટિકાણુ મુખ્ય હોય છે. આધ્યાત્મિકતા એ તેનું ખાસ લક્ષણ છે. અમુક આધ્યાત્મિક [સમ્યગ્દર્શન સુધીની] સ્થિતિએ પહેાંચ્યા પછીજ તે દશનમાં સભ્ય તરીકે દાખલ થઈ શકાય છે. તે દર્શનમાં પ્રવેશ કરવાનું એ પ્રવેશક ફાર્મ જ કડક શરતાવાળું છે, એ કાટખૂણેાજ એટલે બધા ચાસ છે, કે બધા વાંક ઉધાડા કરી આપે છે, અને ખરૂં શું હાઈ શકે ? તે આંખ આગળ અને માનસિક ભૂમિકાપર ચાખુ તારવી કાઢે છે, તે દનમાં ઉંચા હૈ।દ્દા અને અધિકારો મેળવવા માટે ણીજ આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. સામાન્ય રીતે દુનિયાદારીમાં ગણાતા નીતિમાન્ અને ખાàાશ વ્યકિતઓની પણ ત્યાં વિશેષ કિ ંમત નથી કાતી. કારણકે જ્યાં દુનિયાદારીની ઘણી ૧૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005279
Book TitleJivan Vikas ane Vishvavlokan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy