SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ઉત્તર ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૩૨૦.સ્થિતિ વિશેષ કારણ શાથી જણાવાય? સર્વજ્ઞ વચન પ્રમાણરૂપ જ છે એમ માની જાણવું. કારણ અતીન્દ્રીય જીવોએ કહેલું તે સત્ય જ છે તેથી જીવના પરિણામની ધારાની વિચિત્ર શક્તિ હોવાથી, તે રીતે જાણવું યોગ્ય છે. જીવ વિના પણ અજીવાદિ મેઘધનુષ્ય વગેરેનાં પુલો પણ તે તેના પરિણામની વિચિત્રતાથી થાય છે તો જીવે ગ્રહણ કરેલ પુલોમાં તો સ્વાભાવિક જ થાય તેમાં શું આશ્ચર્ય ? નિય જાઈ લદ્ધ દલિયા સંતે સો હોઈ સવાઈHI બજઝંતીણ વિભ જજઈ સેસ સેસાણ પઈ સમય ૮૧ || ભાવાર્થ : પોતાની મૂળ પ્રકૃતિરૂપ જાતિ વડે પ્રાપ્ત કરેલ દલિકનો અનંત ભાગ સર્વાતિ પ્રકૃતિને ભાગે આવે અને બાકી રહેલ પ્રદેશાગ્ર બાકીની બંધાતી પ્રકૃતિને સમયે સમયે વહેંચાય છે | ૮૧ || પ્રશ્ન ૩૨ ૧.મૂળ પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિકોની વહેંચણીમાં શી રીતે થાય છે? કોને કેટલા ભાગના દલિકો મળે ? મૂળ પ્રકૃતિઓને ભાગે આવેલ જે દલિકો હોય તેનો અનંતમો ભાગ સર્વઘાતી રસયુક્ત સર્વઘાતી પ્રકૃતિઓને મળે છે અને બાકીનાં દલિકો સર્વઘાતી સિવાય બંધાતી પ્રકૃતિઓમાં વહેંચણી થાય છે. પ્રમ ૩૨૨. સર્વઘાતી પ્રકૃતિઓને અનંતમા ભાગ જેટલા જ દલિકો શા માટે મળે છે ? અધિક કેમ નહિ ? સર્વાતી રસવાળા દલિકો બંધાતી મૂળ પ્રકૃતિમાં અનંતમા ભાગ જેટલા જ હોય છે માટે તેટલા જ તેઓને મળે છે. પ્રશ્ન ૩૨૩.મૂળ જ્ઞાનાવરણીય કર્મના દલિકોમાં શી રીતે જાણવું? ઉત્તર જ્ઞાનાવરણીયના ભાગે આવેલા દલિકોમાં કેવલજ્ઞાનાવરણીયને અનંતમાં ભાગ જેટલા દલિકો મળે બાકીની બંધાતી ચાર પ્રકૃતિઓમાં જાય. . પ્રમ ૩૨૪.દર્શનાવરણીય કર્મના દલિકોમાં શી રીતે જાણવું? દર્શનાવરણીય કર્મના ભાગે જે દલિકો આવે તેમાં અનંતમાં ભાગ જેટલા દલિકો સર્વઘાતી રસવાળા હોવાથી સર્વઘાતી પ્રકૃતિઓને જાય અને બાકીના દલિકોન દેશઘાતીરૂપ બંધાતી પ્રકૃતિઓના ભાગ પડે. પ્રશ્ન ૩૨૫.દર્શનાવરણીયના સર્વઘાતી દલિતોના કેટલા ભાગ પડે ? શાથી ? ઉત્તર છ ભાગ પડે સર્વઘાતી પ્રકૃતિઓ છે છે માટે કેવળદર્શનાવરણીય અને પાંચ નિદ્રાનો એક એક. ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy