SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ | ઉત્તર ઉત્તર સંજ્વલન ૪ કષાયનો બંધ વિચ્છેદ દશમા ગુણસ્થાનકે થાય છે. ત્યાંથી પડતાં જીવો નવમા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે અજઘન્ય સ્થિતિબંધની સાદિ થાય છે. હજી સુધી જે જીવોએ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી નથી તે જીવોને અનાદિ બંધ, અભવ્ય જીવો તે સ્થાન પ્રાપ્ત કરવાના નથી તેમને ધ્રુવ બંધ. જે ભવ્ય જીવોએ તે સ્થાન પ્રાપ્ત કરી અજઘન્ય બંધને શાંત કરેલ છે તે જીવોને અધુવ બંધ જાણવો. ૩૬૨. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારનો કઈ રીતે જણાય ? જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ તથા અંતરાય-૫ એમ ૧૪ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે થાય. ઉપશમ શ્રેણીવાળા જીવો અગિયારમા ગુણસ્થાનકે આ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. ત્યાંથી પતન પામીને દશમા ગુણસ્થાનકે ૧૪ પ્રકૃતિઓનો અજઘન્ય બંધ શરૂ કરે ત્યારે તે સાદિ બંધ કહેવાય છે. તે સ્થાનને હજી સુધી જે જીવોએ પ્રાપ્ત કરેલ નથી તે જીવોને આશ્રયીને અનાદિ બંધ કહેવાય. અભવ્ય જીવો કદી સ્થાન પ્રાપ્ત કરવાના નથી માટે ધ્રુવ બંધ કહેવાય. તથા જે જીવો જ્યારે જઘન્ય બંધ કરે ત્યારે તે અધુવ બંધ કહેવાય છે. ૩૬૩. સંજ્વલન ૪ કષાયનાં જઘન્ય આદિ ત્રણ બંધમાં કેટલાં કેટલાં ભાંગા હોય ? ક્યા? ઉત્તર સંજવલન ૪ કષાયનાં જઘન્ય બંધ, અનુષ્ટ બંધ તથા ઉત્કૃષ્ટ બંધનાં, બબ્બે બંધ સ્થાનો હોય૧ સાદિબંધ ૨. અવબંધ. ૩૬૪. સંજ્વલન ૪ કષાયમાં જઘન્ય બંધનાં બે ભાંગા કઈ રીતે જણાય ? ઉત્તર સંજ્વલન ૪ કષાયનો નવમાં ગુણસ્થાનના અનુક્રમે બીજા-ત્રીજા-ચોથા અને પાંચમા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે જઘન્ય સ્થિતિબંધ થાય તે સાદિબંધ. અંતરમુહૂર્ત બાદ બંધ વિચ્છેદ થઈ દશમા ગુણસ્થાનકાદિ ને જીવો પામે ત્યાં બંધ હોતો નથી તે અધુવ બંધ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy