SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૭ ૨૯૯. તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે એમ જણાવ્યું તો મિથ્યાદ્રષ્ટિ જીવો કરતાં સાસ્વાદન સમકિતી જીવોની વિશુદ્ધિ વધારે હોય છે. તો પછી ત્યાં બંધ સ્થિતિ શા માટે ન કહી ? ઉત્તર સાસ્વાદન સમકિતી જીવો તિર્યંચાયુ તથા મનુષ્પાયુષ્ય બાંધતા હોવા છતાં સામાન્યથી તે જીવો અસંખ્યાત વર્ષના આયુષ્યનો બંધ કરતાં નથી. કારણકે સાસ્વાદન સમકિતી જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકની સન્મુખ થયેલ હોવાથી ગુણથી પડવાનાં અભિમુખ થયેલ હોય છે જ્યારે મિથ્યાદ્રષ્ટિ જીવો ગુણની અભિમુખ થયેલ હોવાથી તેની વિશુદ્ધિ અધિક હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવો કહેલ છે. વિગલસુહુમાઉગતિગં તિમિથુઆ સુર વિઉવિ નિરય દુર્ગા એબિંદિ થાવરાયવ આઈસાણા સુરૂક્કોસ ૪૩. ભાવાર્થ - વિક્લેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિકનારક-તિર્યચ, મનુષાયુષ્ય દેવદ્ધિક વૈક્રિયદ્રિક-નરદ્ધિક આ પંદર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યો અને મનુષ્યો કરે છે એકેન્દ્રિય-સ્થાવર અને આતપ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીનાં દેવો કરે છે. ૪૩ ૩૦૦. વિકલેન્દ્રિયત્રિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરે? શાથી? ઉત્તર તિર્યો અને મનુષ્યો મિથ્યાદ્રષ્ટિ હોય તે કરે છે અને તે તત પ્રાયોગ્ય - સંક્લેશ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે બંધાય છે. ૩૦૧. તત્ પ્રાયોગ્ય સંક્લેશ અધ્યવસાય શા કારણથી કહેવાય છે? તેનો અર્થ શું? ઉત્તર મનુષ્યો અને તિર્યયો ઉત્કૃષ્ટ સંક્લેશ અધ્યવસાયમાં હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બંધાય છે. અતિ વિશુદ્ધ અધ્યવસાયમાં જીવ હોય ત્યારે દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બંધાય છે. તે કારણથી તેને યોગ્ય જે સંક્લેશ અધ્યવસાય હોય તેમાં તે પ્રકૃતિઓ બંધાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy