SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો સ્થિતિબંધ અસંખ્યાતગુણો કઈ રીતે થાય ? ૫૪૨. બાદર ઉત્તર યતિઓનો જધન્ય સ્થિતિબંધ અંતરમુહુર્ત આદિ છે જ્યારે બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો સામાન્યથી એક સાગરોપમ આદિ સ્થિતિબંધ કરે છે. તે કારણથી અસંખ્યાત ગુણો થાય છે. ૫૪૩. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોના સ્થિતિબંધથી વધારે સ્થિતિબંધ કોનો હોય ? ઉત્તર ઃ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ હોય છે તેનાથી (તેના કરતાં) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૪.સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ કરતાં કયા જીવોનો સ્થિતિબંધ વિશેષ હોય ? ઉત્તર સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતા બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૫, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયના જધન્ય સ્થિતિબંધ કરતાં કયા જીવોનો વિશેષ સ્થિતિબંધ હોય ? ઉત્તર ઃ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જધન્ય સ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૪૬. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોના જધન્ય સ્થિતિબંધ કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય. ૫૪૭.બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૪૮. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કોના કરતાં કેટલી વધારે હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy