SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫૧૧. અંતરાય કર્મ બાંધવાના કારણો કયા કયા કહેલા છે ? ઉ. : જિનપૂજા કરવામાં અંતરાય કરનાર, જિનપૂજા સાવદ્યદોષથી યુક્ત હોય છે માટે ગૃહસ્થોને પણ ન કરવી જોઈએ એમ કુદેશનાથી જીવોને ભગવાનના તત્વોથી દૂર કરનાર, હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ, રાત્રિભોજન વગેરે પાપોમાં તત્પર હોય, ઉપલક્ષણથી મોક્ષમાર્ગને દૂષિત કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જીવોને અંતરાય કરનાર, અથવા સાધુઓને ભોજન પાણી ઉપાશ્રય ઉપકરણ ઔષધ વગેરે આપનારને રોકે, મંત્રાદિ પ્રયોગ વડે બીજાના વીર્યનું હરણ કરે, હયોગથી વધ બંધન વગેરેથી બીજાને ચેષ્ટા વિનાનો કરે, છેદન, ભેદન વડે કરીને બીજાની ઇન્દ્રિયની શક્તિઓનો છેદ કરે ઈત્યાદિ કારણો વડે કરીને જીવો પાંચેય પ્રકારનાં અંતરાય કર્મોને ઉપાર્જન કરે છે. પ્ર. ૫૧૨. આ કર્મવિપાક રૂપકર્મગ્રંથ કોણે રચ્યો છે ? ઉ. આ રીતે કર્મના વિપાકરૂપ કર્મગ્રંથ શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના તથા અન્યના ઉપકાર માટે લખ્યો છે Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy